અકસ્માતે વીજશોક લાગતા જુવાનપુરના યુવાનનું અપમૃત્યુ

  • May 27, 2025 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજદેભાઈ ભોજાભાઈ માતંગ નામના 50 વર્ષના યુવાન ગત તારીખ 18 ના રોજ ગામમાં એક હોટલ પાસે ડમ્પરમાં ગ્રીસનું કામ કરી રહ્યા હતા. ત્યારે ડમ્પરની ટ્રોલી ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રીક લાઈનને અડકી જતા તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ રમેશભાઈ ભોજાભાઈ માતંગએ કલ્યાણપુર પોલીસને કરી છે.

જુના મનદુઃખનો ખાર રાખી દેવળીયાના વૃધ્ધ પર ત્રણ પરિવારજનો દ્વારા હુમલો

કલ્યાણપુર તાલુકાના જામ દેવળીયા ગામે રહેતા નેભાભાઈ અરજનભાઈ આંબલીયા નામના 73 વર્ષના વૃદ્ધને આ જ વિસ્તારમાં રહેતા દિલીપ પરબત આંબલીયા, પરબત નાથા આંબલીયા અને સુમાત પરબત આંબલીયા સાથે જમીન બાબતે જુનો વિવાદ ચાલ્યો આવતો હતો. જેથી તેઓ વચ્ચે બોલવા ચાલવાનો વ્યવહાર ન હતો. આ વચ્ચે ગત તારીખ 25 મે ના રોજ ફરિયાદી નેભાભાઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન આરોપી દિલીપ પરબતએ પોતાના ટ્રેક્ટર વડે નેભાભાઈને ટક્કર મારી અને નીચે પછાડી, ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપી પરબત નાથા અને સુમાત પરબતએ કુહાડી અને લાકડી વડે બેફામ માર મારતા આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application