ભાવનગર જિલ્લાના સિહોર શહેર નજીક રાજકોટ રોડ પર ગરીબશાપીરની દરગાહ નજીક આવેલા રેલ્વે ફાટક નજીક આજે સવારે એક યુવાન ભાવનગર-પાલીતાણા પેસેન્જર ગાડી નીચે આવી જતાં તેનું ઘટના સ્થળે જ ક્મકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ફાટક નજીક બનેલી ઘટનાના પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો.બનાવની જાણ થતા પોલીસે દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવાનની ઓળખ સહિતની હાથ ધરેલી કાર્યવાહીમાં મૃતક સિહોર તાલુકાના વળાવડ ગામે રહોતો હોવાનું ખુલ્યું હતું.
જિલ્લાના સિહોર શહેર નજીક રાજકોટ રોડ પર ગરીબશાપીરની દરગાહ નજીકના રાજકોટ રોડે આવેલા રેલ્વે ફાટક નજીક આજે સવારે ૭:૩૦ આજુ બાજુ ભાવનગર- પાલીતાણા
પેસેન્જર ગાડી નીચે આવી જતાં એક યુવાનનું સ્થળ પરજ ક્મકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ફાટક નજીક જ બનેલી ઘટનાના પગલે ભાવનગર-રાજકોટ રોડ પર ટટ્રાફિક જામ સર્જાયો હતો. અને લોકોના ટોળાં ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતા સિહોર પોલીસ કાફલો દોડી ગયો હતો. અને યુવાનના મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ અર્થે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવાનની ઓળખ સહિતની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં મૃતક યુવાન સિહોર તાલુકાના વળાવડ ગામે રહેતા જીતેશભાઇ કાનજીભાઈ મકવાણા (ઉ.વ ૨૫) હોવાનું ખુલતા મૃતક જીતેશભાઈ મકવાણાના પરિવારજનોનું નિવેદન લઈ હાલ અકસ્માતે મોતનોની નોંધ લઈ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક જીતેશભાઈ અપરણિત હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાઆના પગલે વળાવડ ગામે અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech