ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવા મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પૂજા કરવાની પરવાનગી આપી છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે. મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટીએ પૂજા શ કરવાના જિલ્લા ન્યાયાધીશ વારાણસીના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યેા હતો.
કોર્ટે વારાણસી જિલ્લા ન્યાયાધીશના ૩૧ જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના આદેશને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટના આ આદેશને કારણે વ્યાસ ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. કોર્ટે પૂજા પર પ્રતિબધં મૂકયો નથી. હાઈકોર્ટ દ્રારા અરજી ફગાવી દેવામાં આવતા મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો હતો.
બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા બાદ કોર્ટે ૧૫ ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પાંચ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના વરિ વકીલ સીએસ વૈધનાથન અને વિષ્ણુ શંકર જૈને હિન્દુ પક્ષ વતી દલીલો કરી હતી. યારે મુસ્લિમ પક્ષ વતી વરિ એડવોકેટ સૈયદ ફરમાન અહેમદ નકવી અને યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના એડવોકેટ પુનીત ગુાએ પોતાનો પક્ષ રજૂ કર્યેા હતો. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ વતી એડવોકેટ વિનીત સંકલ્પે દલીલો રજૂ કરી હતી. મુસ્લિમ પક્ષની અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વ્યાસ જીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવાના જિલ્લા ન્યાયાધીશ વારાણસીના નિર્ણયને પડકાર્યેા હતો.
મુસ્લિમ પક્ષે કોર્ટમાં આ માગણી કરી હતી
મુસ્લિમ પક્ષે દાવો કર્યેા હતો કે વારાણસી કોર્ટ દ્રારા ડીએમને રીસીવર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે, જેઓ પહેલેથી જ કાશી વિશ્વનાથ મંદિરના સભ્ય છે. તેથી તેમની નિમણૂક થઈ શકે નહીં. મુસ્લિમ પક્ષે એમ પણ કહ્યું છે કે દસ્તાવેજમાં કોઈ ભોંયં હોવાનો ઉલ્લેખ નથી અને વ્યાસજીએ પહેલા જ પૂજાના અધિકાર ટ્રસ્ટને ટ્રાન્સફર કરી દીધા છે. તેમને અરજી દાખલ કરવાનો અધિકાર નથી. આ પહેલા વારાણસી ડિસ્ટિ્રકટ કોર્ટે પણ આ કેસમાં હિંદુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેની સામે મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યેા હતો. જો કે, અહીં પણ મુસ્લિમ પક્ષ નિરાશ થયો હતો અને હાઈકોર્ટે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો હિન્દુઓનો અધિકાર અનામત રાખ્યો હતો.
જ્ઞાનવાપી ભોંયરામાં શું છે વિવાદ?
પૂજાની શઆત પહેલા, હિન્દુ પક્ષે દાવો કર્યેા હતો કે નવેમ્બર ૧૯૯૩ પહેલા, તત્કાલીન રાજય સરકારે વ્યાસના ભોંયરામાં પૂજા અટકાવી દીધી હતી. જેને ફરી શરૂ કરવાનો અધિકાર મળવો જોઈએ. તે જ સમયે મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શીપ એકટને ટાંકીને અરજીને બરતરફ કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech