જામનગરમાં નવાગામ ઘેડમાંથી વરલીબાજ ઝડપાયો

  • December 16, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્ય બુકીનું નામ ખુલ્યું


જામનગર ના નવાગામ ઘેડ ગોપાલ ચોકમાંથી એક વરલી ભક્ત ને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે તેની સાથે વરલીના આંકડા ની કપાત કરનારા મુખ્ય બુકીને ફરારી જાહેર કરાયો છે.


જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતો રોહિત ઉર્ફે કાનીયો રાજુભાઈ મકવાણા, કે જે ગોપાલ ચોક પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહ્યો હોવાથી સીટી બી. ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી રૂપિયા ૨,૯૬૦ ની રોકડ રકમ,મોબાઈલ ફોન અને વરલીનું સાહિત્ય કબજે કર્યું છે.


પોલીસની પૂછપરછ દરમિયાન પોતે નવાગામ વિસ્તારમાં જ રહેતા મયુર ઉર્ફે ટીટો શરદભાઈ શિંગાળા નામના મુખ્ય બુકી સાથે વર્લીના આંકડાની કપાત કરતો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધ ખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application