પોરબંદર નજીકના સોઢાણા ગામના મહિલા ખેડુત છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેના દ્વારા માત્ર જમીનની જ નહી,પરંતુ લોકોના આરોગ્યની પણ રક્ષા સુરક્ષા કરી રહ્યા છે.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન જોરશોરથી અમલમાં મૂકાયું છે. આ અભિયાન હેઠળ રાજ્યભરના અનેક ખેડૂતો રસાયણમુક્ત ખેતી તરફ વળતાં સર્જનાત્મક કદમ લઈ રહ્યા છે અને કૃષિ ક્ષેત્રે નવી દિશા તરફ આગળ વધી રહ્યા છે.
આ અભિયાનની સફળતાનું ઉત્તમ ઉદાહરણ પોરબંદર જિલ્લાના સોઢાણા ગામની મહિલા ખેડૂત શ્રીમતી સમજુબેન કારાવદરા છે. તેઓ છેલ્લા સાત વર્ષથી ગીર ગાય આધારિત, સંપૂર્ણ રીતે રસાયણમુક્ત અને પ્રાકૃતિક ખેતીમાં સંલગ્ન છે. તેઓ પાસે પાંચ ગીર ગાય છે, જેના આધાર પર તેઓ આશરે ૫૦ વિઘા જમીન પર પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે.તેમના દ્વારા ઉત્પાદિત દૂધ, છાસ અને ઘી જેવી ઉત્તમ ક્વોલિટીવાળી ઊપજને ગુરુદેવ બ્રાન્ડ હેઠળ બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ખાસ કરીને ગીર ગાયના દૂધમાંથી બનાવવામાં આવતું ઘી .૧૬૦૦ પ્રતિ કિલોની ઊંચી કિંમતે વેચાય છે, જે તેની ગુણવત્તાની પુષ્ટિ આપે છે. તેમની ગાયો માટે પણ ઘાસ-ચારો પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જેથી સમગ્ર ખેતી અને પશુપાલન પ્રક્રિયા સ્વસ્થ અને પર્યાવરણીય સંવેદનશીલ બને છે. શ્રીમતી સમજુબેનના આ અનોખા પ્રયાસો ગુજરાતના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના માધ્યમથી તેઓ માત્ર પોતાની આવકમાં વધારો કરી રહ્યા નથી, પણ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સ્તરે પણ સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે.રાજ્ય સરકાર આવા ઉદાહરણોને વધાવી રહી છે અને પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડુતોને પુરતું માર્ગદર્શન અને સહકાર આપવાના નિર્ધાર સાથે આગળ વધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech