બગસરા પંથકમાં ચોમાસા દરમિયાન 47 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. જેના હિસાબે અહીંનો મૂંજીયાસર ડેમ પણ ભરાય ગયો છે. જયારે આવિરત પડી રહેલા વરસાદના લીધે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. અનેક પાકો જેવા કે મગફળી કપાસ તેમજ સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકશાન થયું છે. જયારે બગસરા પંથકમાં કુલ જમીન 29895 હેકટર ખેતીની જમીન છે. જેમાં મગફળી 4784 હેકટરમાં અને કપાસ 14072 હેકટરમાં તેમજ સોયાબીન 6524 હેકટરમાં વાવેતર કરવામાં આવેલ છે. કુદરતે જાણે મોં માં આપેલ કોળિયો છીનવી લીધો હોય તેવી કપારી હાલત ખેડૂતોની થઇ ચુકી છે. જેથી આવી કપારી સ્થિતિમાં સરકાર દ્વારા ખેડૂતોની જમીનોનું સર્વે કરી આવેવાતરનું પણ સર્વે કરી જગતના તાતને ઉગારવા માટે સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે અને જિલ્લ ા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલદાર તેમજ પ્રાંત અધિકારીને તાલુકા પંચાયાતના સદસ્ય શારદાબેન બાબુભાઈ સતાસિયા દ્વારા લેખિતમાં અરજી પણ કરવામાં આવી છે. તો સરકાર દ્વારા વિનંતી કે તત્કાલ અહીંના વિસ્તરનું સર્વે કરી વળતર આપે તેવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech