દેશના અનેક ભાગોમાં આકરી ગરમી યથાવત છે. ઘણી જગ્યાએ તાપમાન 50ને પાર પહોંચી ગયું છે. ત્યારે હવામાન વિભાગના સાધનો પર પણ ભારે ગરમીની અસર જોવા મળી રહી છે. 30 મેના રોજ IMDએ નાગપુરનું તાપમાન 54.4 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. હવે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ અંગે ખુલાસો કર્યો છે.
નાગપુરનું તાપમાન 54.4 ડિગ્રી સેલ્સિયસ ન હતું
તેમણે જણાવ્યું હતું કે નાગપુર શહેરમાં IMD સંચાલિત વેધર સ્ટેશને 30 મેના રોજ મહત્તમ તાપમાન 54.4 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું અને નાગપુરના અન્ય સ્ટેશને 52.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સાચો આંકડો નહોતો. તેણે પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે તાપમાન માપતા ઈલેક્ટ્રોનિક સેન્સરમાં ખામીના કારણે આ તાપમાન નોંધાયું હતું, જે ખોટું છે.
તાપમાન હતું 44-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે
તેમણે વધુમાં જણાવ્યું કે IMD પુણેએ ઈલેક્ટ્રોનિક સેન્સરમાં ખામી હોવાની પુષ્ટિ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાગપુરના અન્ય હવામાન વિભાગના કેન્દ્ર સ્ટેશનના અવલોકનો દર્શાવે છે કે મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં છે. તેમણે કહ્યું કે હવામાન વિભાગ આ મામલે સુધારાત્મક પગલાં લઈ રહ્યું છે.
IMDએ શું કહ્યું?
આ મામલે હવામાન વિભાગે પણ સેન્સરમાં ખામીની પુષ્ટિ કરતું નિવેદન આપ્યું છે. 30 મેના રોજ, નાગપુર સિટી IMD ઓટોમેટિક વેધર સ્ટેશન (AWS) એ મહત્તમ તાપમાન 54.4 ડિગ્રી સેલ્સિયસ અને નાગપુરના અન્ય સ્ટેશને 52.2 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું, હવામાન વિભાગે જણાવ્યું હતું. ઇલેક્ટ્રોનિક સેન્સરની નિષ્ફળતાને કારણે આ મૂલ્યો ખોટા છે. નાગપુર સ્થિત અન્ય AWS અને IMD ઓબ્ઝર્વેટરી સ્ટેશન પરથી પ્રાપ્ત અવલોકનો મુજબ, મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. IMD તેના સેન્સરમાં ફેરફાર સહિત આ મામલે જરૂરી સુધારાત્મક પગલાં લઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech