વોટ્સએપની ચેટ્સને નક્કર પુરાવા ન ગણી શકાય: કોર્ટ

  • May 27, 2025 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દિલ્હીની એક કોર્ટે ચુકાદો આપ્યો છે કે 2020 ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો દરમિયાન નોંધાયેલા પાંચ હત્યાના કેસોમાં વોટ્સએપ ચેટ્સ ઠોસ પુરાવા ન હોઈ શકે. માત્ર આધાર તરીકે તેનો ઉપયોગ થઇ શકે છે. પાંચેય કેસોમાં, જ્યાં ૧૨ આરોપીઓ એ જ છે, ત્યારે ફરિયાદ પક્ષે પુરાવા તરીકે વોટ્સએપ ચેટ્સ પર મોટા પ્રમાણમાં આધાર રાખ્યો હતો.


રમખાણોના એક અઠવાડિયા પછી જેમના મૃતદેહ મળી આવ્યા હતા, તેમની હત્યાના સંદર્ભમાં નોંધાયેલા નવ કેસોમાં આ કેસનો સમાવેશ થાય છે. બાકીના ચાર કેસમાંથી, એકમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે, અને ત્રણમાં આરોપીઓની અંતિમ દલીલો અને નિવેદનો સાંભળવામાં આવી રહ્યા છે.

પાંચેય કેસોમાં, દિલ્હી પોલીસે મુખ્યત્વે કટ્ટર હિન્દુ એકતા નામના વોટ્સએપ ગ્રુપની ચેટ્સ પર આધાર રાખ્યો હતો. પોલીસે દાખલ કરેલી અનેક ચાર્જશીટમાં પણ આ ગ્રુપનું નામ છે.


ચાર્જશીટ મુજબ, એક આરોપી લોકેશ સોલંકીએ કથિત રીતે એક વોટ્સએપ ગ્રુપ પર લખ્યું હતું: તમારા ભાઈએ રાત્રે 9 વાગ્યે 2 મુસ્લિમ પુરુષોની હત્યા કરી છે. સોલંકીની પૂછપરછને કારણે અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, જેમના પર આખરે નવ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો.


આરોપીઓને નિર્દોષ જાહેર કરતા, કરકરડૂમા કોર્ટના એડિશનલ સેશન્સ જજ પુલસ્ત્ય પ્રમાચલાએ પાંચેય આદેશોમાં કહ્યું: આવી પોસ્ટ્સ ફક્ત અન્ય ગ્રુપ સભ્યોની નજરમાં હીરો બનવાના ઈરાદાથી જ ગ્રુપમાં મુકવામાં આવી હોય છે. તે કોઈ સત્ય વિના બડાઈ મારવા સમાન હોઈ શકે છે. તેથી, જે ચેટ્સ પર આધાર રાખવામાં આવ્યો છે તે એ દર્શાવવા માટે નક્કર પુરાવા હોઈ શકે નહીં કે આરોપીએ ખરેખર બે મુસ્લિમ વ્યક્તિઓની હત્યા કરી હતી. આ ચેટ્સનો ઉપયોગ વધુમાં વધુ પુરાવા તરીકે થઈ શકે છે. નવ હત્યાના તમામ કેસોમાં પોલીસે આ ચેટ્સ પર આધાર રાખ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application