અમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકાની તાજેતરમાં જ ચૂંટણી ગઈ હોય અને ઉમેદવારોએ મોટા મોટા વાયદાઓ આપ્યા હોય તે અહીંયા પોકર સાબિત થયા છે ખુદ વિજેતા થયેલ ઉમેદવારો એ જ પાણી ન છોડવાની સૂચના આપતા બગસરા શહેરના નટવરનગરમાં મફત વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો જાણવા મળ્યા મુજબ સોમનાથ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત ગયેલ વોર્ડ નંબર એકના સદસ્ય દ્રારા નટવરનગરના વિસ્તારમાં આવેલ ટાંકામાંથી પાણી નહીં છોડવાની વાલમેનને સૂચના આપતા લોકોમાં રોષ ભભૂકીયો હતો લોકોએ મીડિયાનો સહારો લેતાં પાણી છોડવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોએ પણ મીડિયાનો આભાર માન્યો હતો