બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસક વિરોધ શ થયો છે. આ વખતે વિરોધીઓ દેશના રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવાની માંગ કરી રહ્યા છે. રાજધાની ઢાકામાં રાષ્ટ્ર્રપતિના નિવાસસ્થાન બંગભવનની સામે ગઈકાલે રાત્રે લોકો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
તાજેતરમાં બાંગ્લાદેશના રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની પાસે એવો કોઈ દસ્તાવેજ નથી જે સાબિત કરી શકે કે શેખ હસીનાએ ૫ ઓગસ્ટે બાંગ્લાદેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્ર્રપતિના આ નિવેદન બાદ હવે બાંગ્લાદેશમાં એવી ચર્ચા શ થઈ ગઈ છે કે શું બંધારણીય રીતે શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના પીએમ છે. લોકો આ નિવેદનના કારણે રાષ્ટ્ર્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડસને હટાવવાનો પ્રયાસ કર્યેા, જેને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડો. વિરોધ માટે એકઠા થયેલા ટોળાને હિંસક બનતા જોઈને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડા હતા. બાંગ્લાદેશી મીડિયા અનુસાર, પોલીસના લાઠીચાર્જમાં ૫ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મામલો કાબૂમાં ન આવતા સેનાના જવાનોએ પ્રદર્શનકારીઓ સાથે વાત કરી, પરંતુ યારે વાત ન બની તો તેઓએ લાઠીચાર્જ કરવો પડો. પોલીસનું કહેવું છે કે દેખાવકારોએ તેમના પર પણ પથ્થરમારો કર્યેા હતો અને બંગભવન પાસે ગુલિસ્તાન રોડ બ્લોક કરી દીધો હતો. ડીએમસીએચ પોલીસ ચોકીના ઈન્ચાર્જ મોહમ્મદ ફાકે કહ્યું, પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણને પગમાં અને બેને કાનમાં ઈજા થઈ હતી. આ તમામ સ્ટન ગ્રેનેડના કારણે ઘાયલ થયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech