વિનેશને ન્યાય મળશે કે નહીં? આજે રાતે સાડા નવે ફેંસલો થશે

  • August 13, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને યુનાઈટેડ વલ્ર્ડ રેસલિંગ સામ–સામે છે. વાસ્તવમાં વિનેશ ફોગાટનો એક કેસ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોટર્સ (સીએએસ)માં ચાલી રહ્યો છે જેના પર નિર્ણય (આજે) ૧૩મી ઓગસ્ટે આપવામાં આવનાર છે. આ નિર્ણય રાત્રે ૯.૩૦ વાગ્યે આવી શકે છે. પરંતુ તે પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુનાઈટેડ વલ્ર્ડ રેસલિંગ હવે નિયમ બદલવાની વિચારણા કરી રહ્યું છે જેણે આ વિવાદને જન્મ આપ્યો છે. ખરેખર આ આખો મામલો પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ વચ્ચે શ થયો હતો.
પેરિસ ઓલિમ્પિકસ ૨૦૨૪ ગેમ્સ દરમિયાન વિનેશ ફોગાટને ૫૦ કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલની ખાતરી હતી, પરંતુ મેચ પહેલા તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે, તેનું વજન ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેચ પહેલા કરતા ૧૦૦ ગ્રામ વધુ હતું. આ પછી વિનેશે સીએએસમાં કેસ દાખલ કર્યેા જેના પર નિર્ણય ૧૩મી ઓગસ્ટે આવવાનો છે. આવી સ્થિતિમાં વિનેશ ફોગટને હજુ પણ ન્યાય મળવાની આશા છે. જો નિર્ણય વિનેશની તરફેણમાં આવશે તો તેઓ સંયુકત રીતે સિલ્વર મેડલ મેળવશે. પરંતુ આ પહેલા જ નિયમોમાં ફેરફારની વાતો સામે આવવા લાગી છે.
સૂત્રોએ એક ખાનગી મીડિયા ચેનલને જણાવ્યું છે કે, વલ્ર્ડ રેસલિંગમાં કુસ્તીબાજોના વજનના નિયમોમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. વલ્ર્ડ રેસલિંગ ઓર્ગેનાઈઝેશન તેના બદલાવ પર વિચાર કરી રહ્યું છે. જો કે આ નિયમમાં શું ફેરફાર કરવામાં આવી શકે છે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી.આ તરફ હવે સવાલ એ પણ ઉઠે છે કે જો વજનના નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો શું સીએએસ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં વિનેશને ફાયદો થશે? શું આ નિયમ વિનેશના કેસમાં પણ લાગુ પડશે? તેના જવાબમાં સૂત્રોએ કહ્યું છે કે એવું નથી. જો નિયમોમાં ફેરફાર થશે તો તેને આગામી ટુર્નામેન્ટથી લાગુ કરવામાં આવશે. આ પેરિસ ઓલિમ્પિક પર લાગુ થશે નહીં. આવી સ્થિતિમાં બદલાયેલા નિયમોની વિનેશના કેસ પર કોઈ અસર નહીં થાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application