વિક્રાંત મેસીએ ગઈ રાત્રે એક પોસ્ટ શેર કરી છે જેણે તેના ચાહકો સહિત સમગ્ર ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. વિક્રાંતે તેની પોસ્ટ દ્વારા અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે અને આ પોસ્ટ જોઈને અભિનેતાના ચાહકો ચોંકી ગયા છે. કમેન્ટ કરતી વખતે, ઘણા વપરાશકતર્ઓિએ અભિનેતાના નિવૃત્તિનું કારણ પૂછ્યું છે.
અભિનેતાએ તેની પોસ્ટમાં અભિનયમાંથી નિવૃત્તિ લેવાનું કારણ જાહેર કર્યું નથી. આવી સ્થિતિમાં ચાહકો એ પણ જાણવા માંગે છે કે વિક્રાંતે અચાનક આ નિર્ણય કેમ લીધો, જ્યારે તેની ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિક્રાંતના નિર્ણયથી નિરાશ, તેના ચાહકો ટિપ્પણી કરી રહ્યા છે અને આટલી જલ્દી અભિનયમાંથી નિવૃત્તિ લેવાનું કારણ પૂછી રહ્યા છે.
વિક્રાંત મેસીની ગણતરી ફિલ્મ જગતના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. નાના પડદાથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર વિક્રાંત મેસીએ ઓટીટી અને ફિલ્મી દુનિયામાં ખૂબ ધૂમ મચાવી હતી અને પોતાની અભિનય શક્તિ સાબિત કરી હતી. પોતાના દમદાર અભિનય માટે પ્રખ્યાત વિક્રાંત મેસી આ દિવસોમાં ’ધ સાબરમતી રિપોર્ટ’ માટે ચચર્મિાં છે. 2002ની ગોધરાની ઘટના પર આધારિત આ ફિલ્મ 15 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેને દર્શકોનો નબળો પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન વિક્રાંતે તેની એક પોસ્ટથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.
‘‘આપણે હવે છેલ્લી વાર 2025 માં મળીશું. વિક્રાંતે પોસ્ટમાં લખ્યું - હેલ્લો, છેલ્લા કેટલાક વર્ષો ઘણા સારા રહ્યા છે. તમારા અદ્ભુત સમર્થન માટે હું તમારા બધાનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધતો ગયો તેમ તેમ મને સમજાયું કે મારા માટે જાતને સંભાળવાનો અને ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે. પતિ, પિતા અને પુત્ર તરીકે... અને અભિનેતા તરીકે પણ. આવનારા 2025માં આપણે એકબીજાને છેલ્લી વાર મળીશું. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. દરેક વસ્તુ અને વચ્ચે જે બન્યું તે માટે ફરીથી તમારો આભાર. હંમેશા તમારો આભારી રહીશ.’’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech