ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના જીવનની એક ઘટનાને ક્યારેય ભૂલી શકતા નથી. તેમના પરિવારમાં પત્ની અંજલિ રૂપાણી, એક પુત્ર અને એક પુત્રી છે. તેમના અન્ય એક પુત્ર પુજીતનું સાડા ત્રણ વર્ષની ઉંમરે જ મૃત્યુ થયું હતું. રૂપાણીએ રાજકોટમાં તેના દીકરાના નામે પુજીત રૂપાણી ટ્રસ્ટ બનાવ્યું છે. જેમાં ગરીબ બાળકોથી લઈ અનેક સેવાકીય કામગીરી ચાલી રહી છે. ટ્રસ્ટના ચેરમેન વિજય રૂપાણી, ટ્રસ્ટી તેના પત્ની અંજલીબેન અને મેનેજીંગ ટ્રસ્ટી તરીકે તેના ભાઈ પ્રવીણ રૂપાણી છે.
વિજયભાઈના પહેલાં દીકરા પુજિતનું માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે મૃત્યું થયું હતું. 30 વર્ષ પહેલા વિજયભાઈ અને તેનો પરિવાર અમદાવાદ તેના સસરાની ઘરે ગયો હતો એ વખતે ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે ઝૂકી પેન્સિલ લેવા ગયેલા પુજીતને બેલેન્સ નહીં રહેતાં નીચે પડી ગયો અને તેનું મૃત્યુ થયું. જેની યાદમાં વિજયભાઈએ શ્રી પુજિત મેમોરીયલ ટ્રસ્ટ બનાવ્યું છે અને આ ટ્રસ્ટમાં જરૂરિયાતમંદ બાળકોની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે તો મોટી દીકરી રાધિકાના મેરેજ નીતિન મિશ્રા સાથે થયા છે. આગળ કહ્યું એમ, રાધિકા અને નીતિન લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો વિજય રૂપાણીનો દીકરો રુષભ નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરી અમેરિકા સ્થાયી થયો છે. જૂજ લોકોને ખબર છે કે રુષભ અને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ટપુનું કેરેક્ટર કરનારા ભવ્ય ગાંધી વચ્ચે પાક્કી ભાઈબંધી છે.
પુજીત રૂપાણી ટ્રસ્ટમાં ગરીબ બાળકોને ભણાવાથી લઈ કચરો વિણતી બહેનોને કોમ્પ્યુટરની તાલીમ સહિતની એક ડઝનની વધુ વિવિધ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. નવા વિચારો મળતા ગયા તેમ તેમ બાળકો અને મહિલાઓના ઉત્કર્ષ માટેના અનેક પ્રકલ્પો ટ્રસ્ટ અંતર્ગત શરૂ કરવામાં આવ્યા.
કચરો વીણતા અને રસ્તે રખડતા બાળકોનું બાળપણ કચરામાં ન વેડફાઇ અને તે પણ બાળપણ માણે તેવા ઉદ્દેશથી વિજય રૂપાણીએ દીકરાની યાદમાં શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના 12 જાન્યુઆરી 1995ના રોજ કરી હતી. ટ્રસ્ટની સ્થાપના કચરો વીણતા બાળકો માટેનો રેગપીકર્સ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવી હતી.
ટ્રસ્ટમાં અંદાજે 6 હજારથી વધુ ગરીબ બોળકો લાભ લે છે
આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા 6થી 14 વર્ષના પછાત તેમજ કચરો વીણતા અને રખડતા આશરે 430 બાળકોને ટ્રસ્ટ દતક લઇને તેમને અક્ષરજ્ઞાન, મનોરંજન, ધાર્મિકજ્ઞાન અને તેનું સંપૂર્ણ બાળપણ પૂરુ પાડે છે. ટ્રસ્ટ રાજકોટની જુદી જુદી સાત ઝુપડપટ્ટીઓમાં બપોરે 12.30થી 5.30 વાગ્યા સુધી રેગીપીકર્સ કેન્દ્રો ચલાવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રસ્ટ રાજકોટની વિવિધ 70 ઝુપડપટ્ટી વિસ્તારોમાં મહિનામાં બે દિવસ જરૂરિયાતમંદ બાળકોને બાળપણ મળી રહે તે માટે ભાત-ભાતના રમકડા લઈને જાય છે. પ્રોજેક્ટનો અંદાજે 6 હજારથી વધુ બોળકો લાભ લે છે.
આ ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રોબોધિની પ્રોજેક્ટ ચાલી રહ્યો છે
આ ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રોબોધિની પ્રોજેક્ટ હેઠળ ધો.૮થી ૧૨ સુધી અને ત્યારપછી મેડિકલ અને એન્જિનિયરિંગમાં જિલ્લા કક્ષાએ આવેલી સિવિલ હોસ્પિટલો મોટા ઉદ્યોગ ગૃહો સંભાળી તેમના ચેરીટીના ફંડમાંથી તેનુ સંચાલન તેમજ વધુ સારી સુખાકારી ઉભી કરે તે માટે વિજયભાઈ દ્વારા યોજના બનાવવામાં આવી હતી તેમ તેની સાથે કામ કરનાર એક અધિકારીએ કહ્યું હતું. જો કે, આ યોજના આગળ ધપે તે પહેલા ફેરફારો થઈ જતા યોજના આગળ ધપી શકી ન હતી. ઉદ્યોગ ગૃહો ઘટતી સુવિધા હોસ્પિટલોમાં તેમના ચેરીટીના ફંડમાંથી કરે તો જરૂરી સાધનો ઝડપથી ઉપલબ્ધથાય અને સંચાલન પણ સુધરે તેવો આશય હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech