બહુ મોટો આઘાત લાગ્યો... ખડગેએ વીડિયો કોલ કરી અંજલીબેનને સાંત્વના આપી, ગાંધીનગર નિવાસસ્થાને નેતાઓ-ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે

  • June 15, 2025 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવામાં આવશે. અમદાવાદમાં DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. હાલ વિજયભાઈના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને તેમના પત્ની અંજલીબેન રૂપાણી, તેમનો પુત્ર રૂષભ સહિતના પરિવાજનો હાજર છે. હાલ રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા રૂપાણી પરિવારને સાંત્વા આપવા પહોંચ્યા છે.


બહુ મોટો આઘાત લાગ્યો છે: ખડગે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિજય રૂપાણીના સુપુત્ર તથા તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે વીડિયો કોલથી વાત કરી સાંત્વના આપી હતી. તેમણે અંજલિબેનને કહ્યું કે, અમે ખૂબ જ દુઃખી છીએ. બહુ મોટો આઘાત લાગ્યો છે. એક સારા વ્યક્તિનું આ રીતે મૃત્યુ થયું, ધીરજ રાખો. અમે તમારા દુઃખમાં સાથે છીએ. આ દુર્ઘટના કોઈના હાથમાં નહોતી. બાળકોની સંભાળ રાખજો.


ગઈકાલે રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધારોજગાર બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ શિક્ષણકાર્ય બંધ રાખ્યું હતું.


બીજા દિવસે હિતુ કનોડિયા, મોના થીબા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા તથા અને ઝાયડસ લાઇફ સાયન્સના ચેરમેન પંકજ પટેલે અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી હતી. આ પહેલાં શુક્રવારે PM-CM સહિતના નેતાઓએ વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.


13 જૂને પીએમ મોદીએ અંજવીબેનને સાંત્વના પાઠવી ટ્વીટ કર્યું હતું

વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.


વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં 'ઈઝ ઑફ લિવિંગ' એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશાં યાદ રહેશે.


તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.


બહુ મોટો આઘાત લાગ્યો છે: ખડગેએ વીડિયો કોલ કરી અંજલિબેનને સાંત્વના આપી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિજય રૂપાણીના સુપુત્ર તથા તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે વીડિયો કોલથી વાત કરી સાંત્વના આપી હતી. તેમણે અંજલિબેનને કહ્યું કે, અમે ખૂબ જ દુઃખી છીએ. બહુ મોટો આઘાત લાગ્યો છે. એક સારા વ્યક્તિનું આ રીતે મૃત્યુ થયું, ધીરજ રાખો. અમે તમારા દુઃખમાં સાથે છીએ. આ દુર્ઘટના કોઈના હાથમાં નહોતી. બાળકોની સંભાળ રાખજો.


રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી

તો બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે.


રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને અંતિમદર્શન માટે રખાશે

વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે અથવા આવતીકાલે DNAની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application