ધારાસભ્ય, મેયર તેમજ શહેર ભાજપના અન્ય અગ્રણીઓ કીર્તનમાં જોડાયા
જામનગરના ગુરૂદ્વારા ગુરૂસીંઘ સભામાં ગઈકાલે વીર બાળ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અને દિવસ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરમિયાન ગઈકાલે રાત્રિના ૮.૦૦ વાગ્યાથી ૯.૩૦ સુધી કીર્તનનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, અને વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર કુસુમબેન પંડ્યા, ધીરેનભાઈ મોનાણી, શિક્ષણ સમિતિ ના ચેરમેન પ્રકાશભાઈ કાકનાણી તેમજ શહેર ભાજપના અન્ય હોદ્દેદારો- કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અને કીર્તન કર્યું હતું.
સત્ય ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે પોતાના પ્રાણી આપનારા ગુરૂ ગોવિંદસિંઘજીના પુત્ર સાહીબજાદા જોરાવરસિંઘજી અને ફતેસિંઘજી ના બલિદાન દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવા માટેનું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું હતું,તે અનુસાર ગઈકાલે શહેર ભાજપના અગ્રણીઓ વીર બાળ દિવસની ઉજવણીમાં કીર્તનના કાર્યક્રમમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં હીરા ઉદ્યોગની વાસ્તવિકતા, રત્નકલાકાર પરિવારે સામૂહિક આપઘાત કર્યો
March 08, 2025 08:31 PMમણિપુરના કાંગપોક્પી જિલ્લામાં હિંસા, એક વ્યક્તિનું મોત, 27 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ
March 08, 2025 08:26 PMEDએ હૈદરાબાદ એરપોર્ટ પરથી બિઝનેસ જેટ જપ્ત કર્યું, 22 જાન્યુઆરીએ પ્રમોટર આ જ જેટમાં વિદેશ ભાગ્યો
March 08, 2025 08:24 PMદેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી
March 08, 2025 07:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech