જામનગર નજીક અલીયા ગામમાં રહેતા એક વાલ્મિકી યુવાનને ગઈકાલે પોતાના ઘેર છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના આલિયા ગામમાં હરીજનવાસમાં રહેતા દિનેશભાઈ જીવાભાઇ વાઘેલા નામના ૫૮ વર્ષના વાલ્મિકી યુવાને ગઈકાલે બપોરના એકાદ વાગ્યે પોતાના ઘેર છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પત્ની સોનલબેન દિનેશભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMસ્ક્રેપના ધંધાર્થી સાથે બામણબોરમાં યુનિટ ધરાવનાર શખસની 13.04 લાખની ઠગાઈ
April 25, 2025 03:06 PMશેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ સાથે સેન્સેક્સમાં ૧૨૦૦ પોઈન્ટનો કડાકો
April 25, 2025 03:03 PMભાજપના કોર્પોરેટરોની મ્યુનિ.હેલ્થ ઓફિસરને સસ્પેન્ડ કરવા,સરકારમાં પરત કરવા માંગ રજૂ
April 25, 2025 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech