હિન્દુ મંદિરો અને ઘર ઉપર હુમલા થાય છે તે ખુબ જ ચિંતાજનક
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અંગે વિશ્ર્વ હિન્દુ પરીષદ જામનગર દ્વારા ચિંતા વ્યકત કરીને આવા તત્વો સામે પગલા લેવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, દેવભુમિ દ્વારકા જિલ્લાના કાર્યપાલક દ્વારા પણ આ અંગે દુ:ખ વ્યકત કરાયું છે, હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો અને ઘર ઉપર હિંસા થઇ રહી છે, તેની કેટલીક ઘટનાઓ સામે આવી છે તે દુ:ખદ અને ચિંતાજનક છે, બાંગ્લાદેશમાં સંવિધાનનું ગળુ ઘુટી નાખવામાં આવી રહ્યું છે અને હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવે છે, અનેક મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ અને 79 મંદિરોમાં હીંસા, 61 મંદિરોમાં પુજા ન કરવા આક્રમણ તેમજ કેટલાકની સંપતિ પણ લુંટવા લાગી છે, કેટલાક લોકોની હત્યા થઇ છે, એટલું જ નહીં 1500 જેટલા શિક્ષકોએ નોકરીમાંથી રાજીનામુ પણ આપી દીધું છે.
હિન્દુઓને કેટલાક લોકો દ્વારા ધર્મ પરીવર્તન માટે દબાણ કરવામાં આવે છે, સરકારી સંરક્ષણનો અભાવ જોવા મળે છે અને પીડીતોને ન્યાય મળતો નથી, આ માટે અમારી માંગણી બાંગ્લાદેશ સરકાર સુધી પહોંચાડવા પણ જણાવાયું છે, ભારત સરકારે બાંગ્લાદેશ સરકાર પર દબાણ કરીને હિન્દુઓ સુરક્ષીત રહે તેવું કહેવું જોઇએ અને આંતરરાષ્ટ્રિય સમુદાય દ્વારા પણ આ મુદા પર ઘ્યાન આપવા માંગણી કરવામાં આવી છે અને સંત ચિન્મયકૃષ્ણદાસજીને તાત્કાલીક જેલમાંથી મુકત કરવા માંગણી કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપતી વખતે વિ.હી.પ.ના જામનગર મહાનગરના અઘ્યક્ષ વિજય બાબરીયા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech