તેલુગુ ફિલ્મના શૂટિંગ દરમિયાન નડી દુર્ઘટના
જાણીતી અભિનેત્રી અને સેક્સ બોમ્બ ઉર્વશી રૌતેલા હૈદરાબાદમાં એક તેલુગુ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી અને તેને ગંભીર ઈજા થઈ હતી. ઉર્વશી રૌતેલાને ફ્રેક્ચર થયું છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીની ટીમે તેના સ્વાસ્થ્યને લઈને એક નિવેદન જારી કરીને તેની સ્થિતિ વિશે જાણકારી આપી છે. ઉર્વશી રૌતેલા હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ છે. તે નંદામુરી બાલકૃષ્ણાની તેલુગુ ફિલ્મ એન્બીકે 109 માટે શૂટિંગ કરી રહી હતી, અને એક દ્રશ્ય દરમિયાન તેને ઈજા થઈ હતી. ઉર્વશીની ટીમે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે અભિનેત્રીને ફ્રેક્ચર થયું છે. ઉર્વશી રૌતેલા માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સાઉથમાં પણ ઘણું કામ કરી રહી છે. તે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જેએનયુ ' એટલે કે 'જહાંગીર નેશનલ યુનિવર્સિટી'માં પણ જોવા મળી હતી ઉર્વશી રૌતેલાની ટીમે એક નિવેદન જારી કરીને કહ્યું કે તે ખૂબ જ પીડામાં છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. તે ડોક્ટરોની દેખરેખમાં છે અને તેને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. ખબર છે કે ફિલ્મ એનબીકે 109નું શૂટિંગ હાલ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. અભિનેત્રી ત્યાં જબરદસ્ત એક્શન સીન શૂટ કરી રહી છે.એનબીકે 109નું શૂટિંગ નવેમ્બર 2023માં શરૂ થયું હતું. તેમાં બોબી દેઓલ, પ્રકાશ રાજ અને દુલકર સલમાન પણ છે. જ્યારે નંદમુરી બાલકૃષ્ણ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન બોબી કોલીએ કર્યું છે.
ઉર્વશી રૌતેલાની આગામી ફિલ્મો
ઉર્વશી રૌતેલા આ પહેલા લાઈમલાઈટમાં આવી હતી જ્યારે ક્રિકેટર ઋષભ પંતનો ખતરનાક અકસ્માત થયો હતો. ત્યારબાદ અભિનેત્રીએ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. ત્યારે રિષભ પંતને ત્યાં દાખલ કરવામાં આવ્યો હતો. કરિયરની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા હવે એનબીકે 109 સિવાય ફિલ્મ 'દિલ હૈ ગ્રે'માં જોવા મળશે, જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ સિવાય બીજી ફિલ્મ 'બ્લેક રોઝ' છે, પરંતુ તેના વિશે કોઈ અપડેટ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech