કેંદ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત

  • March 02, 2023 05:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaal Team

કેંદ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કોરોના સહિત આરોગ્યના વિવિધ વિષયો પર ચર્ચાઓ થઈ હતી. જેમાં કોવિડ મહામારી દરમિયાન ભારતે ઉમદા કામગીરી કરીએ બદલ બિલ ગેટ્સે ભારતની પ્રશંસા કરી હતી.


આજે બિલ ગેટ્સ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે એક મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં કોરોના તેમજ આરોગ્યને લગતી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાના કપરા કાળમાં આકાર પામેલો વોર રૂમ જે હવે હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને નેશનલ પબ્લિક હેલ્થ ઓબ્ઝર્વેટરી (NPHO) તરીકે ઓળખાય છે. તે વોર રૂમની આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બિલ ગેટ્સની મુલાકાત કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વોર રૂમની મદદથી કોવિડ કેસ સફળ રીતે ટ્રેક થયા હતા અને ઝડપી રસીકરણ પણ આ વોર રૂમને કારણે થયુ હતુ. અન્ય ટેકનોલોજીના માધ્યમથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કાર્યક્રમો અને અન્ય સ્વાસ્થ્ય અંગેની સામાજિક પહેલની સ્થિતિનું મોનીટરીંગ આજે અહીંથી કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application