મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા વિબીએનાં પ્રકાશ આંબેડકરે શરદ પવાર વિશે મોટો દાવો કરીને રાજકીય ગરમાવ્યું છે. વંચિત બહુજન આઘાડીના નેતા આંબેડકરે ગઈકાલે દાવો કર્યો હતો કે વરિષ્ઠ રાજકારણી શરદ પવાર જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે દુબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને મળ્યા હતા. મીટિંગ 1988-91 દરમિયાન થઈ હતી. તેમણે કહ્યું કે, જ્યારે શરદ પવાર મહારાષ્ટ્રના સીએમ હતા ત્યારે તેઓ મીટિંગ માટે પહેલા લંડન અને પછી કેલિફોર્નિયા ગયા હતા. તે પાછા લંડન આવ્યાં અને પછી દુબઈ ગયાં ત્યારે દુબઈમાં દાઉદ ઈબ્રાહિમને મળ્યાં હતાં. વંચિત બહુજન આઘાડીના વડાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને પૂછ્યું હતું કે, શું કેન્દ્ર સરકારે આ બેઠકને મંજૂરી આપી હતી? પ્રકાશ આંબેડકરના આ નિવેદન અંગે હાલમાં શરદ પવાર અથવા તેમની પાર્ટી એનસીપી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં મુખ્ય સ્પધર્િ બે ગઠબંધન મહાવિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે છે. એવું માનવામાં આવે છે કે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી મહાવિકાસ અઘાડીને નુકસાન પહોંચાડી શકે છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024માં ગઠબંધન અંગે મતભેદો બાદ પ્રકાશ આંબેડકરે પોતાનો રસ્તો પસંદ કર્યો હતો.
જોકે પ્રકાશ આંબેડકરે લોકસભાની ચૂંટણી અલગથી લડી હતી, પરંતુ તેની એમવીએ પર બહુ અસર થઈ ન હતી. વીબીએમને એક પણ બેઠક પર સફળતા મળી નથી.
પ્રકાશ આંબેડકર પોતે અકોલા લોકસભા સીટ પરથી ખરાબ રીતે ચૂંટણી હારી ગયા હતા. હવે વિધાનસભાની ચૂંટણીનો વારો છે. 20 નવેમ્બરે મહારાષ્ટ્રની તમામ 288 સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે મતગણતરી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech