પોરબંદરમાં મહિલાઓને મહિલાપોલીસ સ્ટેશન દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ સબબ પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર આર.એમ. રાઠોડ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર ખાતે ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમનું આયોજન કરવામં આવ્યુ હતુ જેમાં મહિલાઓમા જાગૃતિકરણ લાવવા કાર્યક્રમ દરમ્યાન લોકોને કઇ કઇ રીતે ટ્રાફિક નિયમન અંગે તેમજ નશીલા પદાર્થો તેમજ તમાકુના વ્યસનથી થતા નુકશાન અને ફાયદા વિશે તેમજ ત્રણ નવા કાયદા વિશે સમજાવ્યા તથા પોરબંદરના લોકોના પ્રશ્ર્નો સાંભળવામાં આવ્યા અને ‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી’ અંગેના કોઇ પ્રશ્ર્નો હોય તો પૂછતા કોઇ પ્રશ્ર્ન ન હોય અને પોલીસ તરફથી હાજર મહિલાઓની વિશેષમાં મહિલાઓને ઘરેલુ હિંસા, છેડતી તેમજ પોકસો એકટ-૨૦૧૨ના કાયદા અને અમલામાં આવેલા નવા ત્રણ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)-૨૦૨૩ તથા ભારતીય નાગરિકસુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.)-૨૦૨૩ તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બી.એસ.એ.)-૨૦૨૩ વિશે માહિતગાર કર્યા અને આ કાયદામાં ખાસ કરીને મહિલાઓ અને બાળકો સબંધિત મુખ્ય જોગવાઇઓ વિશે થયેલ સુધારાઓની વિગતવાર જાણકારી આપવામાં આવી તેમજ આ કાયદા માટે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બી.પી.આર. એન્ડ ડી.)/ એમ. એચ.એ. દ્વારા એન.સી. આર. બી.ની વેબસાઇટ પર એન.સી.આર.બી. સંકલન ઓફ ન્યુ ક્રિમિનલ લોઝ ની ઉપલબ્ધ કરાયેલ એપ્લીકેશન વિશે જાણકારી આપી માહિતગાર કર્યા અને તમામ નાગરિકોને આ એપ્લીકેશનનો મહતમ ઉપયોગ કરવા આગ્રહભરી વિનંતિ કરવામાં આવેલ તેમજ ડ્રગ્સ, દા, તમાકુ જેવા નશીલા પદાર્થોના સેવનથી થતી આર્થિક અને શારીરિક નુકશાની વિશે માહિતગાર કરવામાં આવ્યા અને આવા વ્યસનથી દૂર રહેવા તેમજ આવી કોઇ પ્રવૃત્તિ જણાય તોપોલીસને જાણ કરવા સમજ કરવામાં આવી તેમજ ટ્રાફિક અવેરનેશ રાખવા માટે ટ્રાફિક નિયમન માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમાં ૧૮ વર્ષથી નાની વયના બાળકોને લાયસન્સ વગર વાહન ચલાવવા ન આપવા અને વાહન ચાલકે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ન ચલાવવા અને ટુ વ્હીલ, ફોરવ્હીલ વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટબેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવા તેમજ રોંગ સાઇડમાં ડ્રાઇવીંગ નહી કરવા અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા, નશો કરીને વાહન ન ચલાવવા અને વાહન ચલાવતી વખતે વાહનના આર.ટી.ઓને લગતા દસ્તાવેજો સાથે રાખવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને ગુડસમરીટન યોજના હવેથી રાહવીર યોજના તરીકે અમલમાં હોય અને જો અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને નજીકના સમયમાં પ્રાથમિક સુવિધા આપે તો તેઓને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે તે અંગે પણ માહિતગાર કર્યા અને જો કોઇ લોકોને પોલીસની મદદની જરિયાત જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા તેમજ મહિલાઓને થતી હેરાનગતિ સમયે તુરંત જ મહિલા હેલ્પલાઇન નં. ૧૮૧ની મદદ મેળવવા તેમજ મહિલા પોલીસ સ્ટેશનન સંપર્ક કરવા મહિલાઓને સમજ કરવામાં આવી હતી તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન નં. ૧૦૦, ૧૧૨નોપણ સંપર્ક કરી મદદ મેળવી શકાય છે તે અંગે પણ જાણકારી આપી ‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયબર ક્રાઇમ નાથવા ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર બન્યું સજજ
June 02, 2025 04:27 PMજામનગર પંથકમાં ૩ મહિલા સહિત ૨૧ જુગારીઓની અટક
June 02, 2025 04:26 PMશહેર ભાજપ દ્વારા અહીલ્યા બાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રા
June 02, 2025 04:23 PMશહેર અને જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે વાદળોનો જમાવડો પરંતુ વરસતા નથી
June 02, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech