ચંગા-મૂળીલામાં બે ખેડૂતના હૃદય બંધ પડી જવાના કારણે અપમૃત્યુ

  • August 03, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં વધુ બે યુવાનોને હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો છે. જામનગર તાલુકા ના ચંગા ગામમાં એક ખેડૂત યુવાનનું હૃદય બંધ પડી ગયું છે, જ્યારે કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં પણ એક યુવાનને હાર્ટ એટેક આવી જતાં અપમૃત્યુ થયું છે.


હૃદયરોગના હુમલાનો સૌ પ્રથમ બનાવ જામનગર તાલુકાના ચંગા ગામમાં બન્યો હતો. જ્યાં રહેતા અને ખેતી કામ કરતા યુવરાજસિંહ દિલીપસિંહ પિંગળ નામના ૨૭ વર્ષના ખેડૂત યુવાનને પોતાના ઘેર બાથરૂમમાં જતાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


આ ઉપરાંત કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અશ્વિનભાઈ લાખાભાઈ સાટોડીયા નામના ૪૭ વર્ષના ખેડૂત યુવાનને ચાલુ બાઈકમાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા પછી તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application