શું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમા? સ્ટીવ વિટકોફના નિવેદન પછી ચર્ચા શરૂ

  • May 20, 2025 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા–યુક્રેન યુદ્ધ અંગે આંતરરાષ્ટ્ર્રીય સ્તરે આશાનું નવું કિરણ દેખાઈ રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા તાજેતરના રાજદ્રારી પહેલ અને તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફના સકારાત્મક નિવેદનોએ એવી અટકળોને વેગ આપ્યો છે કે શું આ ભયંકર યુદ્ધનો અતં આવવાના આરે છે? રશિયા–યુક્રેન વાટાઘાટો પાછળ વિટકોફને એક મહત્વપૂર્ણ ચહેરો માનવામાં આવે છે. તેમણે પોતે સંકેત આપ્યો છે કે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીત ખૂબ જ સફળ થઈ શકે છે અને અત્યાર સુધી સ્થિર રહેલી વાટાઘાટોને ગતિ આપી શકે છે.
ગઈકાલે, ટ્રમ્પે રશિયન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્ર્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે અલગ–અલગ ફોન પર વાતચીત કરી. રશિયા–યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પછી આ પહેલી વાર છે યારે અમેરિકાએ બંને દેશો સાથે આટલી સીધી અને નક્કર રાજદ્રારી નીતિ અપનાવી છે. ટ્રમ્પની પુતિન સાથેની વાતચીત લગભગ બે કલાક ચાલી હતી, જેમાં શાંતિ કરારની શકયતાઓ અને યુદ્ધવિરામની શરતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ, ટ્રમ્પે ઝેલેન્સકી સાથે ફોન પર પણ વાત કરી હતી, જેને હવે એક સંકલિત શાંતિ પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
સ્ટીવ વિટકોફ ટ્રમ્પના ખાસ દૂત છે અને શાંતિ પ્રક્રિયાનું માર્ગદર્શન આપનાર મુખ્ય વ્યકિત માનવામાં આવે છે. અમેરિકન મીડિયાને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે મને આશા છે કે આ કોલ ખૂબ જ સફળ થશે અને વાટાઘાટોમાં આવતા અવરોધો દૂર થશે. વિટકોફના નિવેદન પછી તરત જ અમેરિકન અને રશિયન વહીવટીતત્રં તરફથી વાટાઘાટો અંગે સકારાત્મક સંકેતો આવવા લાગ્યા.
વાતચીત પછી રશિયન રાષ્ટ્ર્રપતિ પુતિને એક નિવેદન બહાર પાડું અને કહ્યું કે ચર્ચા 'ખુલ્લી, પ્રામાણિક અને ઉપયોગી' હતી. તેમણે કહ્યું કે રશિયા શાંતિ કરાર માટે તૈયાર છે પરંતુ આ માટે વ્યવહા ઉકેલો અને સ્પષ્ટ્ર શરતો નક્કી કરવી જોઈએ. પુતિને એ પણ સ્વીકાયુ કે વાટાઘાટો હવે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને ટ્રમ્પના હસ્તક્ષેપથી બંને દેશો વચ્ચેની વાતચીત પાછી પાટા પર આવી શકે છે.
વ્હાઇટ હાઉસે પણ વાટાઘાટો અંગે આશાવાદી વલણ દર્શાવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ વાતચીતને શાંતિ તરફનું નિર્ણાયક પગલું ગણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે જો રશિયા વાટાઘાટોને ગંભીરતાથી લે અને યુક્રેન પણ લવચીકતા બતાવે, તો ટૂંક સમયમાં મર્યાદિત યુદ્ધવિરામ શકય બની શકે છે. જોકે, અમેરિકાએ સ્પષ્ટ્ર કયુ છે કે અંતિમ કરાર પહેલાં તમામ પક્ષોની સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવશે.
હવે બધાની નજર તેના પર ટકેલી છે કે શું ટ્રમ્પની આ રાજદ્રારી સક્રિયતા કોઈ વાસ્તવિક પરિણામો તરફ દોરી જશે? શું પુતિન અને ઝેલેન્સ્કી હવે કોઈ કરાર તરફ આગળ વધશે? અને સૌથી મોટો પ્રશ્ન શું રશિયા–યુક્રેન યુદ્ધ ખરેખર સમા થવાનું છે? વિટકોફના નિવેદન અને વાટાઘાટો પછી બદલાયેલા આંતરરાષ્ટ્ર્રીય વાતાવરણે ચોક્કસપણે આશાઓ જગાવી છે પરંતુ નક્કર પરિણામો પ્રા કરવા માટે હજુ કેટલાક પગલાં લેવાના બાકી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application