પોરબંદરના મુસ્લીમ વિસ્તારોમાં સાફસફાઇ કરવા માંગ થઇ છે, સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન પાઠવાયુ હતુ. સુન્ની અંજુમને ઇસ્લામના ઉપપ્રમુખ અને એડવોકેટ અકબર સેલોત અને સેક્રેટરી અશરફ પટેલે મ્યુનિસ્પિલ કમિશ્નર હસમુખ પ્રજાપતિને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરી હતી કે તા. ૭-૬-૨૦૨૫ના રોજ સમગ્ર મુસ્લિમ સમાજ ‘ઇદ-ઉલ-અદહા’ની ઉજવણી કરશે જેથી ઇદ પૂર્વે મુસ્લિમ વિસ્તારોમાં તેમજ ઇદગાહ આસપાસ અને સુન્ની મુસ્લીમ કબ્રસ્તાન પાસે સાફસફાઇ અભિયાન હાથ ધરવા આપને અપીલ છે.
પોરબંદરમાં મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારો મેમણવાડ, શિતલાચોક, વિરડીપ્લોટ, જૂનીખડપીઠ વિસ્તાર, અશરફી નગર,જમાદાર ફળિયુ, તકીયા વિસ્તાર,સિપાઇવાડા, ખાડી વિસ્તાર વગેરે વિસ્તારોમાં તા. ૭-૬-૨૫ના રોજ ઇદ-ઉલ-અદહાના તહેવારોની ઉજવણી કરવામાં આવશે તેમજ ભાવસિંહજી હોસ્પિટલ રોડ, પોલીસલાઇન સામે આવેલ ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો ઇદની વિશેષ નમાઝ અદા કરશે જે અનુસંધાને આપને વિનંતિ છે કે આ વિસ્તારોમાં સાફ-સફાઇ અભિયાન વેગવંતુ બનાવવા સહિતની વ્યવસ્થા કરવા અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech