ઇદ-ઉલ-અદહા પહેલા મુસ્લીમ વિસ્તારોમાં યોગ્ય સફાઇ કરો

  • June 05, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના મુસ્લીમ વિસ્તારોમાં  સાફસફાઇ કરવા માંગ થઇ છે, સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા મ્યુનિસિપલ  કમિશ્નરને આવેદન પાઠવાયુ હતુ. સુન્ની અંજુમને ઇસ્લામના ઉપપ્રમુખ અને એડવોકેટ અકબર સેલોત અને સેક્રેટરી અશરફ પટેલે મ્યુનિસ્પિલ કમિશ્નર હસમુખ પ્રજાપતિને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરી હતી કે તા. ૭-૬-૨૦૨૫ના રોજ સમગ્ર મુસ્લિમ સમાજ ‘ઇદ-ઉલ-અદહા’ની ઉજવણી કરશે જેથી ઇદ પૂર્વે મુસ્લિમ વિસ્તારોમાં તેમજ ઇદગાહ આસપાસ અને સુન્ની મુસ્લીમ કબ્રસ્તાન પાસે સાફસફાઇ અભિયાન હાથ ધરવા આપને અપીલ છે.


પોરબંદરમાં મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારો મેમણવાડ, શિતલાચોક, વિરડીપ્લોટ, જૂનીખડપીઠ વિસ્તાર, અશરફી નગર,જમાદાર ફળિયુ, તકીયા વિસ્તાર,સિપાઇવાડા, ખાડી વિસ્તાર વગેરે વિસ્તારોમાં  તા. ૭-૬-૨૫ના રોજ ઇદ-ઉલ-અદહાના તહેવારોની ઉજવણી કરવામાં આવશે તેમજ ભાવસિંહજી હોસ્પિટલ રોડ, પોલીસલાઇન સામે આવેલ ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો ઇદની વિશેષ નમાઝ અદા કરશે જે અનુસંધાને આપને વિનંતિ છે કે આ વિસ્તારોમાં સાફ-સફાઇ અભિયાન વેગવંતુ બનાવવા સહિતની વ્યવસ્થા કરવા અપીલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application