પોરબંદરમાં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના ૬૫માં સ્થાપના દિવસ નિમિત્તે સંસ્થાએ પોતાની સેવાનો વ્યાપ વધારીને દિવ્યાંગ બાળકો માટેના ‘ડે -કેર સેન્ટર’નો શુભારંભ કર્યો છે અને આ શુભારંભ પ્રસંગે એવી માહિતી આપવામાં આવી હતી કે શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ-પોરબંદર છેલ્લા ૬૪ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના શિક્ષણ અને તાલીમ માટે કાર્યરત છે. સંસ્થા તા. ૧-૬-૨૦૨૫ના રોજ ૬૫માં સ્થાપના દિને દિવ્યાંગો માટે કરવામાં આવતી વિવિધ સેવા પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી ‘સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ, મલ્ટીપલ ડીસેબલ’ બાળકો માટે ‘ડે કેર સેન્ટર’ની સ્થાપના કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં વિવિધ દિવ્યાંગોની સાથે સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ અને મીલ્ટીપલ ડિસેબીલીટી ધરાવતા દિવ્યાંગ બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં એક અંદાજ મુજબ ૭૫૦૦ થી વધારે સેરેબ્રલ પાલ્સીની દિવ્યાંગતાના લોકો છે અને ૧૪૦૦૦ થી વધુ ઓટીઝમની દિવ્યાંગતા ધરાવતા લોકો ગુજરાતમાં વસવાટ કરે છે તેની સામે ગુજરાત સરકારની એક માત્ર માન્યતા ધરાવતી સંસ્થા ‘ભાવનગર’ ખાતે કાર્યરત છે. જ્યારે આટલી વિશાળ સંખ્યાના દિવ્યાંગ બાળકોના વિકાસ માટે ઘણું કાર્ય કરવાનું રહે છે.
પોરબંદર જિલ્લામાં અંદાજીત ૫૦૦થી વધુ બાળકો આવી દિવ્યાંગતા ધરાવે છે તેના માટે સંસ્થા પોતાની સેવાનો વ્યાપ વધારી સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ અને મલ્ટીપલ ડીસેબલ બાળકો માટે ‘ડે કેર સેન્ટર’નો શુભારંભ કરવામાં આવેલ છે.
આ ‘ડે કેર સેન્ટર’ દ્વારા દિવ્યાંગ બાળકોને ડોકટર રેગ્યુલર ફિઝીયોથેરાપી, એકયુપ્રેશર થેરાપી, મ્યુઝિક થેરાપી તેમજ ઓરીયેન્ટલ એન્ડ મોબીલીટી ટ્રેઇનીંગ આપી તેમના જીવનનો વિકાસ કરવામાં આવશે. આ પ્રકારની દિવ્યાંગતા ધરાવનારા બાળકોને સમયસર થેરાપી આપવામાં આવે તો ભવિષ્યમાં એ બાળક સામાન્ય બાળકની સમકક્ષ જીવન પસાર કરી શકે છે.
આ ‘માનવતાના મહાયજ્ઞ’ સમાન સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ અને મલ્ટીપલ ડિસેબલ બાળકો માટેના ‘ડે કેર સેન્ટર’ને કાર્યરત કરવા અને પધ્ધતિસર સેન્ટરને ચાલુ રાખવા ખુબજ આર્થિક ખર્ચ કરવાનો રહેતો હોય છે. જ્યારે સરકાર તરફથી હાલમાં આવી સંસ્થાઓ ચલાવવા કોઇપણ પ્રકારની આર્થિક સહાય આપવામાં આવતી નથી.
સંસ્થા દ્વારા શ કરવામાં આવેલ આ ‘ડે કેર સેન્ટર’ સૌ પ્રથમ આર્થિક સહાય પેટે સંસ્થાના ટ્રસ્ટી પોરસભાઇ ટૈમુલભાઇ વાડીયા તથા ઝરુબેન પોરસભાઇ વાડીયા દ્વારા સ્વર્ગસ્થ પિતાશ્રી ટૈમુલભાઇ વાડીયા તથા સ્વર્ગસ્થ માતુશ્રી ધનબેન ટૈમુલભાઇ વાડીયાની સ્મૃતિમાં પિયા દશ લાખનું આર્થિક અનુદાન જાહેર કરી આ સહાયની રકમનો ચેક સંસ્થાના પ્રમુખ ડો. સુરેશભાઇ ગાંધીને અર્પણ કરવામાં આવ્યો.
આ ‘ડે કેર સેન્ટર’ને પધ્ધતિસર રીતે ચલાવવા માટે વ્યવસ્થિત સંચાલન માટેની કામગીરી ડો. પુષ્પાબેન દાયલાણીએ સ્વીકારી છે. જેમના માર્ગદર્શન નીચે આ દિવ્યાંગ બાળકો માટે સેન્ટર કાર્ય કરશે.
આ પ્રસંગે સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ અને મલ્ટીપલ ડીસેબલ બાળકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહી જણાવેલ કે ‘અમારા બાળકો માટે અમો ઘણા વર્ષોથી આવી વ્યવસ્થા ઉભી થાય તેની રાહ જોઇ રહ્યા હતા. આજે અમારી આ જરિયાત પૂરી થતા સંતોષની લગાણી અનુભવી.’
આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી કમલેશભાઇ ખોખરીએ જણાવેલ કે આવા પ્રકારની દિવ્યાંગતા ધરાવનાર બાળકોના વાલીઓ પોતાના બાળકોના વિકાસ માટે અને તેમને પધ્ધતિસરની થેરાપીઓ મળતી રહે તે માટે સંસ્થાનો સંપર્ક કરવા અપીલ છે.
આ પ્રસંગે ગુજરાત સરકાર સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને પણ સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે કે ‘દિવ્યાંગ ધારો -૨૦૧૬’માં કુલ ૨૧ પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ આ અંગે દિવ્યાંગોની ચોકકસ માહિતી ઉપલબ્ધ નથી.
હાલ જે માહિતીઓ ઉપલબ્ધ છે તે સાત પ્રકારની દિવ્યાંગોની જ માહિતીઓ ઉપલબ્ધ છે. બાકીના દિવ્યાંગતાનો પધ્ધતિસરનો સર્વે કરી તેની અધ્યતન માહિતી તૈયાર કરવી ખૂબજ જરી છે.
એક અંદાજ મુજબ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવનાર લોકોની સંખ્યા દેશની કુલ વસ્તીના ૧૮ થી ૨૦% સુધીની હોય શકે છે. જ્યારે આટલી વિશાળ સંખ્યા ધરાવનાર દિવ્યાંગોના શિક્ષણ તાલીમ અને પુન:સ્થાપન માટે અનેક પ્રકારની યોજનાકીય કામગીરી કરવી આવશ્યક છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડો. સુરેશભાઇ ગાંધીએ ‘ ડે કેર સેન્ટર’ના શુભારંભના દાતા પરિવાર પોરસભાઇ વાડીયા તથા ઝરુબેન વાડીયાનો આભાર વ્યકત કરી આ ‘સેવાયજ્ઞ’માં દાતાઓને પણ અપીલ કરવામાં આવી કે આપ સૌ શ્રેષ્ઠીઓ, દાતાઓ આ માનવતાના મહાન કાર્ય માટે ઉદાર હાથે ‘આર્થિક સહયોગ’ આપી દિવ્યાંગ બાળકોને મદદપ થવા વિનંતિ કરવામાં આવેલ.
સંસ્થાના સ્થાપના દિનની ઉજવણી અને સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ અને મલ્ટીપલડીસેબલ ડે કેર સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સર્વેને સંસ્થાના બોર્ડ મેમ્બર્સ ઘનશ્યામભાઇ મહેતા દ્વારા મિષ્ટાન ભોજન કરાવવામાં આવેલ
આ સંસ્થાના ૬૫માં સ્થાપનાદિનને વધુ એક ‘સેવાયજ્ઞ’ ના શુભારંભ સાથે ઉજવવામાં આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech