બાલા હનુમાન મંદિરમાં મંગળવારે રાજકોટ ગેમઝોન દુર્ઘટના હતભાગીઓને શ્રદ્ધાંજલિ

  • May 29, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશેષ રામધુન બોલાવાઈ


રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં અનેક લોકો ના મૃત્યુ થયા હતા, તેઓના મૃતાત્માં ની શાંતિ અર્થે જામનગર ના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં રામ ધૂન નાં વિશેષ  કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું, અને રામધૂનના માધ્યમથી પ્રભુ પાસે પ્રાર્થના કરી દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી.


રાજકોટ ના ગેમઝોન ની કરૂણાંતિકા માં મોત ને ભેટેલા  હતભાગીઓ ને શ્રદ્ધાસુમન અર્પણ કરવા સાથે મૃતાત્માઓ ની શાંતિ અર્થે અને ઘાયલો ઝડપ થી સ્વસ્થ થાય તે માટે પ્રભુ ને પ્રાર્થના કરવા જામનગર માં તળાવ ની પાળ પર આવેલા વિશ્વ પ્રસિઘ્ધ બાલાહનુમાન મંદિર મા ગઈકાલે મંગળવારે રાત્રે ૯:૩૦ થી ૧૧:૩૦ દરમીયાન બે કલાક ની વિશેષ રામધુન નો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો. એમાં અનેક રામભક્તો જોડાયા હતા, અને "શ્રી રામ જય રામ જય જય રામ" ના જાપ સાથે દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application