રાજકોટવાસીઓ જેમ વરસાદની રાહ જોઈ રહ્યા છે તેવી જ રીતે આવકવેરા વિભાગમાં પણ ઉચ્ચ અધિકારીઓ તેમની ટ્રાન્સફરની રાહમાં છે. અત્યાર સુધીમાં કલાસ વન અધિકારીઓને ટ્રાન્સફર ના ઓર્ડરો થઈ જતા હોય છે પરંતુ આ વખતે હજુ સુધી ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર આવ્યા ન હોવાથી આગળની કામગીરી અધ્ધરતાલ પડી છે.
સીબીડીટી દ્રારા ચીફ અને જોઈન્ટ કમિશનરોની બદલી કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી રાજયકક્ષાએથી આ બદલીના ઓર્ડરો આવ્યા નથી. હાલની પરિસ્થિતિમાં આવકવેરા વિભાગની કચેરીમાં બદલી કયારે આવશે તેવી જ ચર્ચાઓ ચાલી રહી છે. યાં સુધી અધિકારીઓને ટ્રાન્સફર નહીં આવે અને નવા અધિકારીઓ રાજકોટમાં યાં સંભાળશે નહીં ત્યાં સુધી સર્ચ સર્વેની કામગીરી ને બ્રેક લાગી ગયો છે.
જોકે જુલાઈ મહિનામાં આવવાની બદલીના ઓર્ડરો ઓગસ્ટ મહિનાના અતં સુધીમાં આવી જશે તેવી શકયતાઓ આઈ.ટી. વિભાગના સૂત્રો વ્યકત કરી રહ્યા છે.આ ઉપરાંત ઇન્કમટેકસના ચીફ કમિશનર જયંતકુમાર પણ આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી વડા વગરની કચેરી થઈ જશે.
ઇન્કમટેકસની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્રારા જવેલર્સ ત્યારબાદ લાડાણી અને ઓરબીટ ગ્રુપ પર મેગા ઓપરેશન હાથ ધરીને ઐતિહાસિક સફળતા મેળવી છે જેના બદલ વીંગ અધિકારીઓ પર પ્રસન્નતા ના ફલો વરસ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMમુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત
October 06, 2024 10:41 AMમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech