બેડેશ્વર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

  • October 16, 2023 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચ તોલા સોનાનાં અને એક કિલો ચાંદીનાં ઘરેણા સાથે પાંચ હજારની રોકડ ઉઠાવી ગયા


જામનગર શહેર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ તેમજ વાહન ચોરી વાહન  જેવા ગુના નું  પ્રમાણ વધ્યું છે .ત્યારે વધુ એક ઘરફોડ ચોરી નો બનાવ બનવા પામ્યો છે. શહેર ના બેડેશ્વર વિસ્તારમાં એક બંધ મકાન માંથી તસ્કરો રૂપિયા ૧,૧૨.૦૦૦  ની કિંમત ની માલમત્તા ની ચોરી કરી લઇ ગયા ની  પોલીસ માં ફરિયાદ નોંધાઇ છે.જો કે બે અઠવાડિયા પહેલાં નાં બનાંવ અંગે આજે પોલીસે ફરિયાદ નોંધી છે.


જામનગર શહેરના બેડેશ્વર વૈશાલી નગર શેરી નંબર પાંચ માં રહેતા કિશનભાઇ કાનાજીભાઈ રોશિયા ગત તાં.૩૦/૮/૨૩  ના પોતાના મકાન ને બંધ કરીને બહાર ગામ ગયા હતા અને તારીખ. ૨/૧૦/૨૩ નાં પરત ફર્યા હતા. આમ બે દિવસ બંધ રહેલા તેમના મકાન ને કોઈ તસ્કરો એ નિશાન બનાવ્યું હતું. તેના બંધ મકાનમાં તાળા - નકૂચા  તોડી ને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા . અને રૂપિયા એક લાખની કિંમતના પાંચ તોલા વજનના સોનાના ઘરેણા રૂ.૭૦૦૦ ની કિંમત નાં  ૧  કિલો ચાંદી ના ઘરેણા અને ૫૦૦૦ ની  રોકડ રકમ મળી કુલ રૂ.૧,૧૨,૦૦૦  ની માલમત્તા ચોરી કરી લઇ ગયા હતા.

આ બનાવની જાણ થતા જ કિશનભાઇ રોશિયા એ પોલીસ ને જાણ કરતા પોલીસ કકાફલો દોડી  ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી .જો કે ચોરી નાં બે સપ્તાહ પહેલા નાં આ બનાવ અંગે પોલીસે ગઇકાલે ફરિયાદ નોંધી હતી.હવે ટૂંક સમય માં આ ચોરી નો ભેદ ઉકેલાઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application