ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુ વાઘાણીને વરતેજ ગામના આગેવાન ગોવિંદસંગ પરમાર, કાનભા ગોહિલ, કુલદીપ સિંહ રાઠોડ દ્વારા વરતેજ તેમજ આજુબાજુના ગામના ખેડૂતો માટે સોળમતિયા તળાવ માં સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત સૌની યોજના દ્વારા પાણી છોડવા માટેની લૈંખિત અરજી કરવામાં આવેલ. જેના પરિણામ સ્વરૂપે જીતુ વાઘાણી દ્વારા ત્વરિત સિંચાઇ વિભાગને લેખીત તેમજ ટેલીફોનીક સૂચના આપતા કાલે તારીખ ૨૨ને રવિવારે સવારે ૯ કલાકે વરતેજ થી સોડવદરા રોડ, સોળમતિયા તળાવ, વરતેજમાં પાણી છોડાશે.
સૌની યોજનાથી આ પાણી છોડતા વરતેજ તેમજ આજુબાજુ ના ગામ ખેડૂતો ત્રણેય ફાલ લઈ શકશે તેમજ બિન પિયત ખેતી સારી થશે, તેમજ કુવા અને બોર માં પાણી ના તળ ઊંચા આવશે.આદરણીય ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા અતિ મહત્વ ના કહેવાતા પાણી પ્રશ્ન પોતાના પશ્ચિમ વિધાનસભા વિસ્તાર ની સાથોસાથ આજુબાજુના ખેડૂતો નો મોટો પ્રશ્ન હલ થતા ખેડૂતો માં ખુશી નો માહોલ છવાયો છે.
સોળમતિયા તળાવમાં "માં નર્મદા" ના નીર આવશે અને તેના વધામણાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના ધારાસભ્ય જીતુ વાઘાણી, વરતેજ ગ્રામ પંચાયત ના આગેવાનઓ તેમજ સમસ્ત ગ્રામજનો દ્રારા કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાખરમાં નવરાત્રીની પ્રથમ રાત્રે ભાભીની હત્યા નિપજાવનાર આરોપી દિયર ઝડપાયો
October 05, 2024 12:49 PMતિહારમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા યાસીન મલિકનું સોગંદનામું, કહ્યું-“હવે હું ગાંધીવાદી છું”
October 05, 2024 12:20 PMશું ગધેડો બિગ બોસ શોનો બનશે ભાગ? જાણો શું છે મામલો
October 05, 2024 12:16 PMઆમિર ખાન પ્રોડક્શનની લાપતા લેડીઝ જાપાનમાં રિલીઝ
October 05, 2024 12:16 PMહું તો મીરાનો બીજો પતિ છું: શાહિદ કપૂર
October 05, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech