કાલે વરતેજથી સોડવદરા રોડ, સોળમતિયા તળાવમાં સૌની યોજનાનું પાણી છોડાશે

  • September 21, 2024 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુ વાઘાણીને વરતેજ ગામના આગેવાન  ગોવિંદસંગ પરમાર,  કાનભા ગોહિલ,  કુલદીપ સિંહ રાઠોડ દ્વારા વરતેજ તેમજ આજુબાજુના ગામના ખેડૂતો માટે સોળમતિયા તળાવ માં સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત સૌની યોજના દ્વારા પાણી છોડવા માટેની લૈંખિત અરજી કરવામાં આવેલ. જેના પરિણામ સ્વરૂપે  જીતુ વાઘાણી દ્વારા ત્વરિત સિંચાઇ વિભાગને લેખીત તેમજ ટેલીફોનીક સૂચના આપતા કાલે તારીખ ૨૨ને  રવિવારે સવારે ૯ કલાકે વરતેજ થી સોડવદરા રોડ, સોળમતિયા તળાવ, વરતેજમાં પાણી છોડાશે.
સૌની યોજનાથી આ પાણી છોડતા વરતેજ તેમજ આજુબાજુ ના ગામ ખેડૂતો ત્રણેય ફાલ લઈ શકશે તેમજ બિન પિયત ખેતી સારી થશે, તેમજ કુવા અને બોર માં પાણી ના તળ ઊંચા આવશે.આદરણીય ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા અતિ મહત્વ ના કહેવાતા પાણી પ્રશ્ન પોતાના પશ્ચિમ વિધાનસભા વિસ્તાર ની સાથોસાથ આજુબાજુના ખેડૂતો નો મોટો પ્રશ્ન હલ થતા ખેડૂતો માં ખુશી નો માહોલ છવાયો છે.
સોળમતિયા તળાવમાં "માં નર્મદા" ના નીર આવશે અને તેના વધામણાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના ધારાસભ્ય જીતુ વાઘાણી, વરતેજ ગ્રામ પંચાયત ના આગેવાનઓ તેમજ સમસ્ત ગ્રામજનો દ્રારા કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application