ગુજરાત સહિત દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આવતીકાલે સદસ્યતા અભિયાનનો છેલ્લ ો દિવસ છે તે પૂર્વે નવરાત્રીના દિવસો દરમિયાન સભ્યો નોંધણીમાં નોંધપાત્ર પ્રગતિ નહીં થતા ખાસ રવિવારની ઝુંબેશમાં આગેવાનોએ ફોન કરીને કાર્યકરો ને દોડાવ્યા હતા.
ગુજરાત સહિત દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રાથમિક સભ્ય નોંધણી સાથે સંગઠન પર્વની શરૂઆત કરી છે. ગુજરાતમાં અગાઉની સરખામણીમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનને અપેક્ષાથી વિપરિત પ્રતિસાદ મળ્યો છે. નવરાત્રિ પૂરી થયા બાદ રવિવારના વિશેષ અભિયાન શરૂ કરાયું હતું, પરંતુ એમાં પણ નવા સભ્યો નોંધવામાં જનપ્રતિનિધિઓથી માંડીને આગેવાનો, નેતાઓએ સક્રિયતા ન દાખવતા પ્રદેશ સ્તરેથી ફોન કરીને કાર્યકરોને દોડાવવામા આવયા હતા.
ભાજપે રાષ્ટ્રીય સ્તરે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 15 ઓક્ટોબર સુધી પ્રાથમિક સદસ્યતા અભિયાન ચાલનાર છે. એના પછી 15 થી 25 ઓક્ટોબર દરમિયાન સક્રિય સભ્યો બનાવાશે. 30 સપ્ટેમ્બરે પ્રાથમિક સભ્ય નોંધણીનો પ્રથમ પડાવ પૂરો થયો એના સભ્યોની સંખ્યા 95 લાખ સુધી પહોંચી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બે કરોડ નવા સભ્યો બનાવવાનો ટાર્ગેટ ’ કાર્યકરોને આપ્યો હતો. પરંતુ તેમાં જોઈએ તેવી પ્રગતિ થઈ નથી.
તેમણે કાર્યકરોને સમજાવ્યું હતું કે, દરેક જનપ્રતિનિધિ, ખાસ કરીને ધારાસભ્ય અને લોકસભાના સાંસદોએ પોતાને મળેલા મત જેટલા સભ્યો બને એવા પ્રયાસ કરશે તો આગામી ચૂંટણી વખતે ઓછી મુશ્કેલી પડશે.
સક્રિય સભ્યો નોંધાયા પછી રાષ્ટ્રીય સ્તરે નવા અધ્યક્ષની વરણી થતી હોય છે એ સંજોગોમાં નવેમ્બરમાં નવા રાષ્ટ્રીય અને ’ પછી પ્રદેશ પ્રમુખની વરણીઓ થઇ શકે છે. નોંધવુ જરૂરી છે કે, ભાજપ્ના બંધારણ પ્રમાણે 60થી 70 ટકા પ્રાથમિક અને સક્રિય સભ્યોની નોંધણી થયા પછી રાષ્ટ્રીય સ્તરે નવા અધ્યક્ષની વરણી થતી હોય છે આ સંજોગોમાં નવેમ્બરમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને પછી પ્રદેશ પ્રમુખની વરણી થાય તેવા સંકેત મળી રહ્યા છે.
અહીં નોંધવું જરૂરી છે કે આવતીકાલે પ્રાથમિક સદસ્યતા અભિયાન નો છેલ્લ ો દિવસ છે ત્યારે આગેવાનો અને નેતાઓ વધુને વધુ સદસ્ય બનાવવા માટે એડીચોટીનો પ્રયાસ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech