બ્રિટનના કિંગ ચાર્લ્સ –૩ તેમની જવાબદારીઓને પૂર્ણ કરવા માટે ટૂંક સમયમાં જાહેર જીવનમાં પાછા ફરવા માટે તૈયાર છે. તબીબી નિષ્ણાતો તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારાથી ખુશ હતા કારણ કે આ વર્ષની શઆતમાં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. બકિંગહામ પેલેસે શુક્રવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી.
કિંગ ચાલ્ર્સ, ૭૫, તેમની પત્ની રાણી કેમિલા સાથે આવતા મંગળવારે લંડનમાં કેન્સર સારવાર કેન્દ્રની મુલાકાત લેશે. બકિંગહામ પેલેસે નિવેદનમાં જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ કેન્સરની સારવાર અને સ્વસ્થ થયા બાદ ટૂંક સમયમાં જ જાહેર જવાબદારીઓ પર પાછા ફરશે.રાજા અને રાણી આવતા મંગળવારે કેન્સર સારવાર કેન્દ્રની મુલાકાત લેશે, જયાં તેઓ તબીબી નિષ્ણાતો અને દર્દીઓને મળશે, નિવેદનમાં જણાવાયું છે. આગામી અઠવાડિયામાં રાજા જે બહારની પ્રવૃત્તિઓ કરશે તેમાંથી આ મુલાકાત પ્રથમ હશે. બકિંગહામ પેલેસે કહ્યું કે કિંગની મેડિકલ ટીમ અત્યાર સુધીની પ્રગતિથી ખૂબ જ ખુશ છે. ટીમ તેની સતત રિકવરી અંગે પોઝીટીવ છે. ૬ મેના રોજ રાજા ચાર્લ્સના રાજયાભિષેકની પ્રથમ વર્ષગાંઠ નજીક આવી રહી છે.
પેલેસે કહ્યું: રાજવી પરિવાર પાછલા વર્ષમાં વિશ્વભરમાંથી મળેલી ઘણી શુભેચ્છાઓ માટે અત્યતં આભારી છે.બકિંગહામ પેલેસના પ્રવકતાએ જણાવ્યું હતું કે કિંગ ચાર્લ્સ સારવાર લેવાનું ચાલુ રાખશે. અત્યાર સુધીની પ્રગતિથી ડોકટરો ખૂબ જ ખુશ છે કે કિંગ હવે ફરીથી ઘણી જાહેર જવાબદારીઓ નિભાવવા સક્ષમ છે. રાજાની તબિયત સુધરી જતાં, તેમની તબીબી ટીમ સાથે પરામર્શ કરીને તેમના કાર્યક્રમની ગતિનું કાળજીપૂર્વક સંચાલન કરવામાં આવશે, એમ પ્રવકતાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કિંગ તેમની સતત સંભાળ માટે તેમની તબીબી ટીમના ખૂબ આભારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech