૫૦ કીલો વાયર શકપડતી મિલ્કત તરીકે કબ્જે લેવાયો
જામનગર નજીક ચેલા ગામ પાસે ૩ શખ્સને ૫૦ કીલો કોપર વાયરના જથ્થા સાથે નીકળતા પકડી લીધા હતા અને આ મુદામાલ શકપડતી મિલકત તરીકે કબ્જે કરાયો હતો.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં બનેલા વણશોધાયેલા ગુના શોધી કાઢી અસરકાર કાર્યવાહી કરવા એલસીબીને સુચના કરી હતી, દરમ્યાન એલસીબીના દિલીપભાઇ, હિતેન્દ્રસિંહ, કાસમભાઇને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર તાલુકાના ચેલા-૨, પાણીના ટાંકા પાસે તપાસ કરતા બિલ આધાર વગરના કોપરના જીણા તારના ગુચરા ૫૦ કીલો કિ. ૨૫ હજારનો મુદામાલ ૩ શખ્સો પાસેથી મળી આવ્યો હતો જે શકપડતી મિલકત તરીકે કબ્જે કર્યો હતો.
પોલીસે દરેડ આલ્ફા સ્કુલ પાસે રહેતા નવઘણ હીરા ચારોલીયા, જીવરાજ હીરા ચારોલીયા અને વિશાલ મનસુખ જખાણીયા નામના ૩ શખ્સોની અટક કરી હતી અને આગળની તપાસ માટે પંચકોશી-બી પોલીસને સોપી આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech