દુષ્કર્મના કેસમાં સમાધાન કરવાનું કહી જાનથી મારી નાખવાની આપી ધમકી

  • September 11, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નિલમબાગ પોલીસ સ્ટેશનમાં  દાખલ થયેલા દુષ્કર્મના ગુનામાં સમાધાન કરી લેવાનું જણાવી યુવતીને વારંવાર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હોય તેમજ કોર્ટમાં જુબાની આપવા માટે જાય ત્યારે રસ્તામાં તેને અટકાવી ધમકીઓ અપાતી હોય આ બનાવ અંગે ધોધારોડ પોલીસમાં યુવતીએ ફરિયાદ આપતાં પોલીસે આઠ આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 
યુવતીએ અલારખા ડરૈયા, મુસાભાઈ ડેરૈયા. રજાક ડેરૈયા. બાલા પાઉભાજીવાળા, ફીરોજ, પરેશ જાની. ઈરફાન શેખ અને મહેબુબ માંડવીયા સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે  ફરિયાદીએ વર્ષ ૨૦૨૩માં રીયાઝ ડેરૈયા, તેના પિતા સહિતના આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને તેમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠલ પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો હોય ફરિયાદીને કોર્ટમાં અવાર નવાર જુબાની આપવા તેમજ મુદતે જવુ પડતું હોય છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્રણ ચાર માસ પહેલા ફરિયાદીના કાકાના ઘરે આરોપીઓ ગયા હતા અને તેમણે સમાધાનની વાત કરી હતી પરંતુ ના કહેવામાં આવતાં આરોપીઓએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું. રીયાઝના મામા મહેબુબે ફરિયાદીને જો તુ કેસમાં મારા ભાણીયા વિરુદ્ધ જુબાની આપીશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. તો તા.૩ જુલાઇના રોજ આરોપી પરેશ અને ઈરફાન ફરિયાદીના ઘરે ગયા હતા અને તેમણે કેસમાં સારી જુબાની નહી આપો તો રફીકભાઈ દવા પી જશે અને તમારુ નામ આપી દેશે તેમજ તમને જીવતા નહી રહેવા દે તેવી ધમકી આપી હતી. આરોપીઓએ વધુમાં કહ્યું હતું કે, જો જેલમાં રહીને તમને આટલા હેરાન કરતા હોય તો છુટીને તમારી શુ હાલત કરશે ? તેમ કહી ગર્ભીત ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application