મહારાષ્ટ્રના જાલનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત; 17 ઘાયલ

  • September 20, 2024 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં શુક્રવારે એક અકસ્માત સર્જાયો હતો. અહીં રોઝવેઝ બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે, અને 17 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બસની બારી તોડીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસની ટીમ પણ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

રોડવેઝ બસ અને ટ્રક વચ્ચે અથડામણ

આ સમગ્ર મામલો મહારાષ્ટ્રના જાલના જિલ્લાના વાડીગોદરી-જાલના રોડ પર શુક્રવારે સવારે અહીં રાજ્ય પરિવહનની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.પોલીસે ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત વાડીગોદ્રી-જાલના રોડ પર શાહપુર પાસે થયો હતો. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા સંચાલિત બસની બારીઓ તોડીને ઘણા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા

.ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ

અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય પરિવહનની બસ ગેવરાઈથી જાલના જઈ રહી હતી, જ્યારે ટ્રક અંબડથી આવી રહ્યો હતો. ટ્રક સંતરાથી ભરેલો હતો, જે અંબડથી આગળ જઈ રહ્યો હતો . તે દરમિયાન શાહપુર પાસે અચાનક આ અકસ્માત થયો હતો. જેમાં છ લોકોના મોત થયા અને 17 અન્ય ઘાયલ થયા. તેમણે કહ્યું કે સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઘાયલોને બચાવ્યા અને તેમને અંબાડ અને જાલનાની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application