પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. જેના કારણે કાંબલીને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે, પરંતુ હજુ પણ તબિયત સુધરી નથી.
શનિવારે જ કાંબલીની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ હતી. તે જ દિવસે તેને તાત્કાલિક થાણેની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત હજુ સુધરી રહી નથી.
કાંબલીની ક્રિકેટ કારકિર્દી
કાંબલી-સચિન કોચ રમાકાંત આચરેકરના માર્ગદર્શન હેઠળ શિવાજી પાર્કમાં સાથે ક્રિકેટ રમતા હતા. તાજેતરમાં જ મુંબઈના શિવાજી પાર્કમાં આચરેકરના સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિનોદ કાંબલી જોવા મળ્યો હતો, જ્યાં તેનો ખાસ મિત્ર સચિન તેંડુલકર પણ હાજર હતો. તે સમયે પણ કાંબલીની તબિયત સારી ન હતી. 52 વર્ષની ઉંમરે તે 75 વર્ષનો થઈ ગયો હોય તેવું લાગે છે.
વિનોદ કાંબલી થાણેની હોસ્પિટલમાં દાખલ
કાંબલીએ 1991માં ટીમ ઈન્ડિયા માટે ODI ડેબ્યૂ કર્યું હતું, જ્યારે 2000માં છેલ્લી ODI રમી હતી. 2009 માં, કાંબલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું, જ્યારે 2011 માં તેણે પ્રથમ વર્ગ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
કાંબલી ભારત માટે માત્ર 17 ટેસ્ટ અને 104 ODI આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો હતો. ડાબોડી બેટ્સમેન કાંબલીએ ટેસ્ટમાં 54.20ની એવરેજથી 1084 રન બનાવ્યા, જેમાં ચાર સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. વન-ડે ઈન્ટરનેશનલમાં તેણે 32.59ની એવરેજથી 2477 રન બનાવ્યા હતા. કાંબલીએ વન-ડે ઈન્ટરનેશનલમાં બે સદી અને 14 અડધી સદી ફટકારી હતી.
કાંબલીના બે લગ્ન છે, બીજી પત્નીથી બે બાળકો છે
કાંબલીએ છેલ્લે 2019માં ટીમનું કોચિંગ કર્યું હતું, તે T20 મુંબઈ લીગ સાથે સંકળાયેલો હતો. મુંબઈમાં જન્મેલા કાંબલીએ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના પિતા મિકેનિક હતા. તેણે બે વાર લગ્ન કર્યા. તેમના પ્રથમ લગ્ન 1998માં નોએલા લુઈસ સાથે થયા હતા.
નોએલા પુણેની હોટેલ બ્લુ ડાયમંડમાં રિસેપ્શનિસ્ટ હતી. આ લવ લાઈફ લાંબો સમય ટકી નહીં અને છૂટાછેડામાં સમાપ્ત થઈ. ત્યારબાદ કાંબલીએ 2006માં મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે લગ્ન કર્યા. કાંબલીને એક પુત્ર જીસસ ક્રિસ્ટિયાનો અને એક પુત્રી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech