પીએમ મોદી તેમની કુવૈત મુલાકાતથી ભારત પરત ફર્યા છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરારો થયા હતા. એટલું જ નહીં, બંને દેશના નેતાઓએ આતંકવાદ વિદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. ભારત અને કુવૈતે ગઈકાલે તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે ઉન્નત કર્યા અને સંરક્ષણ સહયોગ માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા ગલ્ફ દેશના અમીર શેખ મેશાલ અલ–અહમદ અલ–જાબેર અલ–સબાહ અને અન્ય ટોચના નેતાઓ સાથેની વિસ્તૃત વાતચીત બાદ આ કરાર થયો છે.
બંને દેશોએ સંયુકત નિવેદન બહાર પાડું છે. સંયુકત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંરક્ષણ કરાર દરિયાકાંઠાના સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ સાધનોના સંયુકત વિકાસ અને ઉત્પાદનમાં સહયોગને પ્રોત્સાહન આપશે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાટાઘાટોમાં, બંને પક્ષોએ સ્પષ્ટ્રપણે તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરી, જેમાં સરહદ પારના આતંકવાદનો પણ સમાવેશ થાય છે, અને આતંકવાદને પ્રોત્સાહન આપનારા અને આશરો આપનારાઓનો નાશ કરવાની હાકલ કરી હતી.
અમીર ઉપરાંત, પીએમ મોદીએ કુવૈતના વડા પ્રધાન અહેમદ અબ્દુલ્લા અલ–અહમદ અલ–સબાહ અને ક્રાઉન પ્રિન્સ સબાહ અલ–ખાલિદ અલ–હમદ અલ–મુબારક અલ–સબાહ સાથે પણ વિસ્તૃત વાતચીત કરી, સમગ્ર દ્રિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવા પર ધ્યાન કેન્દ્રિત કયુ હતું. તેમની બે દિવસીય મુલાકાતના અંતે, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું, આ મુલાકાત ઐતિહાસિક હતી અને અમારા દ્રિપક્ષીય સંબંધોને ખૂબ મજબૂત બનાવશે.
સંયુકત નિવેદન અનુસાર, બંને પક્ષોએ સંબંધિત અધિકારીઓને દ્રિપક્ષીય રોકાણ સંધિ પર વાટાઘાટો ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. ઉર્જા સહયોગ વધારવા માટે, બંને પક્ષોએ તેલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન, રિફાઇનિંગ અને એન્જિનિયરિંગ સેવાઓ અને પેટ્રોકેમિકલ ઉધોગોના ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે બંને દેશોની કંપનીઓને ટેકો આપવાની ઇચ્છા વ્યકત કરી હતી.
બંને દેશો વચ્ચે કુલ ચાર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં સંરક્ષણ પરના સમજૂતી પત્ર (એમઓયુ)નો સમાવેશ થાય છે. અન્ય કરારોમાં રમતગમત, સંસ્કૃતિ અને સૌર ઉર્જા ક્ષેત્રે સહકારનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયમાં સચિવ (ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ) અણ કુમાર ચેટર્જીએ જણાવ્યું હતું કે સંરક્ષણ સંબંધિત સમજૂતી (એમઓયુ) સંરક્ષણ ઉધોગ, સંરક્ષણ સાધનોની સપ્લાય, સંયુકત કવાયત, તાલીમ, સેવાઓના આદાનપ્રદાનના ક્ષેત્રોમાં હશે. કર્મચારીઓ અને નિષ્ણાતો અને સંશોધન અને વિકાસ સંકલન સ્થાપિત કરવા સંબંધિત ક્ષેત્રોમાં સહકાર આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech