'હરિયાણામાં આવી સરકારની જરૂર નથી', ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ અદાણી પર કર્યા પ્રહારો

  • September 30, 2024 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નારાયણગઢમાં રેલી દરમિયાન રાહુલ ગાંધીએ અદાણી અને અંબાણી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અદાણી ખેતરોમાં મહેનત કરતા નથી, કોઈ નાનો ધંધો કરતા નથી પરંતુ દરરોજ સવારે સુનામીની જેમ તેમના બેંક ખાતામાં પૈસા આવી રહ્યા છે. જેટલા પૈસા તેમના ખાતામાં સુનામીની જેમ પ્રવેશી રહ્યા છે એટલી જ રકમ તમારા બેંક ખાતામાંથી તોફાનની જેમ નીકળી રહી છે.


રાહુલે કહ્યું, 'આ મોદીજીની સરકાર નથી પરંતુ અદાણીની સરકાર છે. હરિયાણામાં અદાણી સરકારની જરૂર નથી. રાહુલે પોતાના ભાષણમાં રાજ્યમાં બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ કારણોસર રાજ્યના યુવાનો 50-50 લાખ રૂપિયા ચૂકવીને પોતાનો જીવ જોખમમાં મૂકીને વિદેશ જઈ રહ્યા છે. ખેડૂતો પર બોલતા તેમણે કહ્યું કે મોદી સરકાર કાયદો બનાવે છે અને કહે છે કે કાયદા ખેડૂતો માટે બનાવ્યા છે, જો ખેડૂતો માટે છે તો ખેડૂતો શા માટે વારંવાર રસ્તા પર ઉતરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application