જામ્યુકો દ્વારા વેરો ન ભરનારા વધુ ચારની મિલ્કત સીલ

  • January 10, 2024 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવસોમાં વેરો ન ભરનારા સામે કરાશે કાર્યવાહી

જામનગરપાલિકા દ્વારા બાકી રહેતી મિલકત વેરાની વસુલાત માટે ઝબેશ શરૂ કરવામાં આવી છે જેને અનુસંધાને આજે વેરો ભરપાઈ નહિ કરનારા આસામીઓની ચાર મિલકતો સીલ કરવામાં આવી છે.
જામનગરમાં અલશબીર કાસમભાઇ દેવાણીની (રુા.૨૩૧૯૯) અને તેમની જ  અન્ય એક મિલકત (રૂ૩૦૬૧૨) તેમજ બળવંતરાય ભાઈ વેલજીભાઈ કારોલીયા (જે એન ફલીયા) (રુા.૫૨૯૦૬) અને તેમની જ અન્ય એક મિલકત (રુા.૨૫૦૯૯)ને આજ મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા સીલ કરવામાં આવી હતી. જ્યારે એચ જે ટેકસટાઇલ દ્વારા રુા. ૨૩૮૬૭ની બાકી વેરા રકમ સ્થળ પર જ ભરપાઈ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application