પ્રેમી સાથે ભાગેલી સગીરાનું ખોટું લિવિંગ સર્ટિ.રજૂ કરાતાં પોલીસ તપાસમાં ભાંડો ફટયો

  • April 04, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના પ્રેમી પંખીડાએ સજોડે ભાગી જઈ અને ફરિય ાદ થતાં પોલીસ મથકે રજૂ થયા એ સમયે બોગસ એલસી (લિવિંગ સટિર્ફિકેટ) રજૂ કર્યાના બનાવમાં યુનિવર્સિટી પોલીસ દ્રારા ઝીણવટ અને તલસ્પર્શી તપાસ અંતે ભાંડો ફટયો હતો. સરકાર પક્ષે હેડ કોન્સ્ટેબલે બોગસ એલસી રજૂ કરનાર તેમજ બનાવનાર કે તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે.


બનાવની પોલીસના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ ગત માસે સગીરાનું અપહરણ થયાનો ગુનો નોંધાયો હતો. જે ફરિયાદ તપાસમાં પોલીસે ગુમ સગીરાને શોધી કાઢી હતી સાથે સગીર વયનો તેનો પ્રેમી પણ સપડાયો હતો. જે તે સમયે સગીર પ્રેમી યુગલ પોલીસ અને અન્ય કાયદાકીય જાળમાંથી બચવા માટે સગીર નહીં પરંતુ પુખ્તવયના હોવાનું પોતાની મરજીથી ગયા હોવાની વાત સાથે સ્કૂલ લિવિંગ સટિર્ફિકેટ રજૂ કર્યા હતા. પોલીસે સટિર્ફિકેટ સ્વીકારી કાર્યવાહી કરી હતી.

પોલીસને જે–તે સમયે જ કઈં ખોટું હોવાનું દેખાયું હતું. સગીરાની પૂછતાછ કરતા તેણે કબૂલ્યું હતું કે સટિર્. ખોટું બનાવેલું છે તેની સખીના સટિર્. પર પોતાનું નામ લખાયેલું છે. સમગ્ર કાંડ સગીરાના પિતાએ જ અન્ય કોઈની મદદથી કર્યાનું પોલીસને જાણવા મળ્યું હતું. દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરવા પોલીસે કવાયત કરી હતી. થોરાળા વિસ્તારની એ સ્કૂલમાં સટિર્ફિકેટ વિશે તપાસ કરતા સટિર્. અન્ય વિધાર્થિનીનું હોવાનું ફલિત થયું હતું.
જે–તે સમયે અપહરણની ફરિયાદમાં આ ખોટું સટિર્. રજૂ કરાયું હતું. પોલીસે તપાસ દરમિયાન સગીરાના કથન આધારે તેના પિતાની પૂછતાછ કરી હતી. સટિર્. પિતાએ જ રજૂ કરાવ્યાનું ફલિત થયું હતું. જમાદાર રાજેશભાઈ મિયાત્રાએ દસ્તાવેજી આધાર પુરાવા સાથે સગીરાના પિતા તેમજ તપાસમાં ખુલે તેની સામે આઈપીસી ૪૬૫, ૪૭૧ હેઠળ સરકાર પક્ષે ફરિયાદી બનીને ગુનો નોંધાવી સગીરાના પિતાની ધરપકડ કરી પીએસઆઈ મશાક પુત્ર તથા સ્ટાફે તજવીજ આરંભી છે

સગીરાનો વૈજ્ઞાનિકઢબે ટેસ્ટ કરાવીને પણ પુરાવા મેળવાયા
તપાસનીસ યુનિવર્સિટી પોલીસ દ્રારા સ્કૂલમાંથી બોગસ સટિર્. હોવાના પુરાવા મેળવી લેવાયા હતા. સગીર યુગલના સ્ટેટમેન્ટ ઉપરાંત અન્ય આધારો મેળવાયા હતા. સગીરાનો કયારે કયાં જન્મ થયો? હાલ કેટલા વર્ષની છે તેવા કોઈ સગીરા કે તેના પરિવાર પાસે બર્થ સટિર્. કે આવા કોઈ દસ્તાવેજી પુરાવાઓ હતા નહીં માટે સગીરા ખરેખર સગીર વયની છે કે સટિર્.માં દર્શાવ્યા મુજબ ૧૮ વર્ષની પુખ્ત થઈ ગઈ છે? તે સ્પષ્ટ અને દસ્તાવેજી પુરાવા મેળવવા માટે સગીરાનો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૈજ્ઞાનિકઢબે ટેસ્ટ કરાવાયો હતો. જે રિપોર્ટમાં પણ સગીરા હજી પુખ્ત ન હોવાનું ખુલ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application