અબોલ જીવને પરિવારના સભ્ય જેવું ભૂસંસ્કાર
વર્તમાન સમયમાં જ્યારે સ્વાર્થી લોકો અબોલ પશુઓને તરછોડી દયે છે, ત્યારે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા એક ખેડૂતના જાણે પરિવારના સભ્ય બની ગયેલા એક બળદનું મૃત્યુ થતાં પરિવારમાં ઘેરો શોક પ્રસરી ગયો હતો.
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના ખેડૂત દેવાણંદભાઈ રૂડાચનો એક બળદ છેલ્લા અઢાર વર્ષથી ખેતર ખેડી, ખેડૂત પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મબલક ઉત્પાદન માટે આ બળદે તનતોડ મહેનત કરી અને જાણે તે પરિવારનો સભ્ય બની ગયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.
છેલ્લા 18 વર્ષથી પરિવારમાં સાથે રહેલા આ બળદનું તાજેતરમાં મૃત્યુ થતાં ખેડૂતના હૈયાફાટ રૂદન વચ્ચે વિધિવત રીતે ખેડૂતે પોતાના ખેતરમાં આ નંદીના ભૂસંસ્કાર આપીને માલિક પરિવાર દ્વારા તેને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડીયાના તારાણા ગામ પાસે ટ્રકની હડફેટે યુવાનનું મોત
June 07, 2025 01:12 PMઅલીયા ગામનો શખ્સ જામનગર જીલ્લામાંથી હદપાર
June 07, 2025 01:09 PMજામનગરમાં અપહરણનો લિસ્ટેડ આરોપી ઝડપાયો
June 07, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech