વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે સાંજે 7:30 વાગ્યે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. ઉદ્ઘાટન સમારોહ પહેલી સીઝનથી યોજાઈ રહ્યો છે, પરંતુ 2019માં રદ કરવામાં આવ્યો હતો. તે ફરીથી શરૂ થયો હતો, પરંતુ આ વખતે ફરીથી રદ કરવામાં આવ્યો છે.
ગત વર્ષે આરસીબીની જીતના જશ્નમાં ભાગદોડમાં 11 લોકો મોતને લઈ આ વર્ષે આઇપીએલની ઓપનિંગ સેરેમની રદ કરાઈ છે.
2019માં આઇપીએલ ઉદ્ઘાટન સમારોહ રદ કરવાનું કારણ અલગ હતું. તે વર્ષે, પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 40 સૈનિકો શહીદ થયા હતા. પરિણામે, બીસીસીઆઇએ ઉદ્ઘાટન સમારોહ ન યોજવાનો નિર્ણય લીધો હતો, જે કોવિડ-19 રોગચાળાને કારણે ચાલુ રહ્યો. જોકે, તે પાછો ફર્યો. ગયા વર્ષે, પ્રથમ મેચ કોલકાતામાં યોજાઈ હતી, ત્યારબાદ એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. શાહરૂખ ખાન, શ્રેયા ઘોષાલ, દિશા પટણી અને કરણ ઔજલાએ ઇવેન્ટની ભવ્યતામાં વધારો કર્યો હતો.
કેટલાક મીડિયા અહેવાલોમાં બીસીસીઆઇના સચિવ દેવજીત સૈકિયાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ વર્ષે કોઈ ઉદ્ઘાટન સમારોહ નહીં થાય. તેમણે જણાવ્યું હતું કે આઇપીએલ આ વર્ષે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરશે નહીં, જોકે તેમણે ઉમેર્યું હતું કે બીસીસીઆઇ અને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ એક ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરી રહ્યા છે.
સીઝન 19નો પહેલો મેચ આરસીબી અને શારજાહ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. થોડા દિવસો પહેલા સુધી, ત્યાં રમવા પર પ્રતિબંધ હોવાને કારણે આ સ્ટેડિયમમાં આઇપીએલ મેચો યોજાશે કે નહીં તે સ્પષ્ટ નહોતું. ગયા વર્ષે, આઇપીએલ સમાપ્ત થયા પછી, ત્યાં એક દુ:ખદ અકસ્માત થયો હતો, જેમાં 11 લોકો માર્યા ગયા હતા. હકિકતમાં, આરસીબીએ ગયા વર્ષે તેનું પહેલું આઇપીએલ ટાઇટલ જીત્યું હતું. આરસીબીએએ બીજા દિવસે તેના હોમ ગ્રાઉન્ડ (એમ ચિન્નાસ્વામી) પર ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું, જેમાં આખી ટીમ ભાગ લઈ રહી હતી. આ ઉતાવળિયા નિર્ણય લેતા પહેલા મેનેજમેન્ટે કોઈ ખાસ તૈયારી કરી ન હતી, અને ચાહકો સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ટિકિટ પણ મફત હતી, જેના કારણે ભીડ વધુ વધી ગઈ હતી અને દરેક વ્યક્તિ અંદર જવા માંગતો હતો. સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં અગિયાર ચાહકોના મોત થયા હતા.
આઇપીએલ 2026ના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો નિર્ણય ચાર જૂનના રોજ બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કરવામાં આવ્યું હતું. બીસીસીઆઇએ આઇપીએલ 2026 માટે સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું છે. લીગ સ્ટેજ 28 માર્ચથી શરૂ થશે અને 24 માર્ચ સુધી ચાલુ રહેશે, જેમાં 12 સ્થળોએ કુલ 70 મેચ રમાશે.