શિકારીઓ કરતા પણ વધુ તંત્રની બેદરકારી લઈ રહી છે 'ગજરાજ'નો જીવ, લોકસભાના આંકડા જોઈને તમે પણ ચોંકી જશો

  • July 30, 2024 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​જંગલમાં માનવ હસ્તક્ષેપ ઝડપથી વધી રહ્યો છે. આનું પરિણામ એ આવે છે કે જંગલી પ્રાણીઓને ઘરની બહાર આવવું પડે છે. આવી સ્થિતિમાં પશુઓ અનેક પ્રકારના અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે. આવું ખાસ કરીને ભારતમાં હાથીઓ સાથે થઈ રહ્યું છે. દર વર્ષે શિકારીઓ કરતાં તંત્રની બેદરકારીના કારણે વધુ અકસ્માતોમાં હાથીઓ જીવ ગુમાવે છે.


ક્યારેક ટ્રેનની અડફેટે તો ક્યારેક ઈલેક્ટ્રીક શોકને કારણે તેઓ મૃત્યુ પામે છે. શિકાર અને આબોહવા પરિવર્તનને કારણે માર્યા ગયેલા કરતાં વધુ હાથીઓ દર વર્ષે ઈલેક્ટ્રીક શોકને કારણે માર્યા જાય છે. જાણો હાથીઓના મોત પર ભારત સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા કેટલા ભયાનક છે.


તંત્રની બેદરકારી અને હાથીઓના મોત


હાથીઓના મોત અંગે સંસદમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી કીર્તિ વર્ધન સિંહે આપેલો ડેટા ચોંકાવી દેશે. આ ડેટા અનુસાર, 2019-20માં ટ્રેન દુર્ઘટનામાં 14 હાથીઓના મોત થયા છે. જ્યારે 2023-24માં ટ્રેન અકસ્માતમાં હાથીઓના મૃત્યુની સંખ્યા વધીને 17 થઈ ગઈ હતી.


વીજળી, શિકાર અને ઝેરના કારણે મૃત્યુ


આ જ રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે હાથીઓના મૃત્યુ માટે ઇલેક્ટ્રિક શોક, ઝેર અને શિકારીઓ પણ જવાબદાર છે. એકલા વર્ષ 2019-20માં જ 76 હાથીઓ વીજળીના આંચકાથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2023-24માં આ સંખ્યા વધીને 94 થઈ ગઈ. ગેરકાયદેસર શિકારની વાત કરીએ તો વર્ષ 2019-20માં શિકારીઓ દ્વારા 9 હાથીઓને મારી નાખવામાં આવ્યા હતા. જ્યારે 2023-24માં પણ શિકારીઓ દ્વારા 9 હાથીઓને મારી નાખવામાં આવ્યા હતા. ઝેરના કારણે માર્યા ગયેલા હાથીઓની વાત કરીએ તો વર્ષ 2023-24માં ઝેરના કારણે એક હાથીનું મોત થયું હતું.


હાથીઓ અને સામાન્ય લોકો વચ્ચે સંઘર્ષ


એક તરફ તંત્રની બેદરકારીના કારણે હાથીઓના મોત થઈ રહ્યા છે તો બીજી તરફ હાથીઓ અને માનવીઓ વચ્ચેના સંઘર્ષમાં માણસો પણ જીવ ગુમાવી રહ્યા છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ 2019-20માં હાથીઓના કારણે 586 લોકોના મોત થયા છે. જ્યારે 2023-24માં આ સંખ્યા વધીને 629 થઈ ગઈ.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application