પોરબંદર નગરપાલિકાએ સમયસર વેરો ભરવામાં અખાડા કરનાર આસામીઓથી માંડીને સંસ્થાઓ સામે પણ હવે કડક હાથે કામગીરી શ કરી છે ત્યારે શહેરની વર્ષો જુની શૈક્ષણિક સંસ્થા કે.એચ. માધવાણી કોલેજ દ્વારા ૬૮ લાખ પિયાનો વેરો ભરવામાં આવ્યો નહી હોવાથી પ્રિન્સિપાલની ચેમ્બર સીલ કરી દેવામાં આવી છે જ્યારે અન્ય ચાર કોમર્શીયલ મિલ્કતોને પણ નગરપાલિકાએ સીલ કરી છે.
માધવાણી કોલેજમાં પ્રિન્સિપાલની ચેમ્બર સીલ
પોરબંદરમાં નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત વર્ષો જુની કે.એચ. માધવાણી કોલેજનો ૬૮ લાખ પિયાનો વેરો ભરવાનો બાકી હતો તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રએ વારંવાર નોટીસ આપવા છતાં વેરો ભરપાઇ કરવામાં ગંભીરતા દાખવવામાં આવી ન હતી તેથી અંતે નગરપાલિકાએ આ મિલ્કતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વિદ્યાર્થીઓનું હિત ધ્યાને લઇને સમગ્ર કોલેજને સીલ મારવાના બદલે પોરબંદર નગરપાલિકાના તંત્રએ માત્ર પ્રિન્સિપાલની ચેમ્બરને સીલ માર્યુ હતુ.
ચાર કોમર્શીયલ મિલ્કત સીલ
પોરબંદરમાં લાંબા સમયથી વેરો બાકી હોય તેવી મિલ્કત સીલ કરવાની કામગીરી પાલિકા દ્વારા શ કરાઇ છે અને ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવવામાં આવી છે. આઠ કરોડથી વધુ બાકી નીકળતી વેરાની વસુલાત કરવા અત્યાર સુધીમાં પાલિકાએ ૩૦થી વધુ મિલ્કત સીલ કરાઇ છે ત્યારે વધુ ચાર કોમર્શીયલ મિલ્કતને સીલ મારવામાં આવ્યુ હતુ. ટેકસ ઇન્સપેકટર વિપુલભાઇ ભટ્ટે જણાવ્યુ હતુ કે આજે હોટલ સિલ્વર પેલેસ, એક દુકાન, એક વખાર અને એક બંધ આઇસ ફેકટરી સીલ કરાઇ છે. આ તમામ મિલકતનો કુલ બાકી વેરો ા. ૧૦ લાખ અને ૨૦ હજાર છે. એ સિવાય એક કોમર્શીયલ મિલ્કત ધારકે બાકી નીકળતા ા. ૫૨,૦૦૦ સ્થળ પર ભરી આપતા તેની મિલ્કત સીલ કરાઇ ન હતી. અનેક મિલકત એવી છે કે જેને સીલ કર્યા ને ઘણો સમય વીતી ગયો છે તેમ છતાં વેરો ભરવામાં આવ્યો નથી. આથી પાલિકા દ્વારા આવી લાંબા સમયથી સીલ હોય તેવી મિલ્કતો ટાંચમાં લઇ હરરાજી કરવામાં આવશે તેવુ પણ તેઓએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech