ડી.પી. કપાત ની કામગીરી પહેલાં મકાન માલિકને હૃદય રોગનો હુમલો આવી મોત

  • May 26, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ડીપી કપાતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના સંદર્ભમાં શનિવારે સમગ્ર વિસ્તારમાં સર્વે અને માર્કિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

જે પૈકી નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ભરતસિંહ કેસરીસિંહ જાડેજા નામના નિવૃત્ત પોલીસ કર્મી ૬૮ વર્ષના બુઝુર્ગ કે જેઓ એકલવાયું જીવન જીવે છે, અને તેમનું મકાન પણ કપાતમાં આવી જાય છે.


ગઈકાલે શનિવારે મહાનગરપાલિકાની ટીમ તેમના ઘરે નોટિસ આપી આવી હતી, અને માર્કિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓને ગભરામણ થવા લાગી હતી, અને તેઓનું એકાએક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જેથી આસપાસના સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application