માચ્છીમારીની એવી પહેલી સિઝન પૂર્ણ થઈ કે જેમાં એક પણ બોટનું અપહરણ થયું નહીં

  • June 02, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માચ્છીમારોની સીઝન પૂર્ણ થઈ છે અને ચાલુ સિઝનમાં પોરબંદર કે ગુજરાતની એક પણ ફીશીંગ બોટનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું નથી તેમ જાણવા મળ્યું છે. 
પહેલી જૂનથી માછીમારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અઢી મહિનાનું સાગર પુત્રનું વેકેશન શ‚ થયું છે ત્યારે માછીમાર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને માછીમાર આગેવાન જીવનભાઈ જુંગી એ માહિતી આપતા જણાવ્યું હતું કે ફિશિંગ ની સીઝન પૂર્ણ થઈ છે ત્યારે આ સિઝન દરમિયાન પાકિસ્તાન મરીન દ્વારા આપણી એક પણ ફિશિંગ બોટનું અપહરણ થયું નથી. દર વર્ષે પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા આઈ એમ બી એલ નજીકથી અનેક બોટોના અપહરણ કરવામાં આવે છે અને માછીમારોને ઉઠાવી જવામાં આવે છે તથા પાકિસ્તાનની જુદી જુદી જેલોમાં ધકેલી દેવામાં આવે છે. 
પરંતુ હવે માછીમારો અને બોટ માલિકોમાં પણ જાગૃતિ આવી છે તેથી આઈ.એમ.બી.એલ. સુધી માછીમારો માછલા પકડવા જતા નથી અને પાકિસ્તાન દ્વારા પણ દરિયાઈ સરહદનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેમને ખબર છે કે ભારત વળતો પ્રહાર કરી શકે તેમ છે તેથી ફિશિંગ ની સીઝન દરમિયાન એક પણ ફિશિંગ બોટનું અપહરણ થયું નથી તે સાગર પુત્રો માટે ખુશીની વાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application