વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત બનેલી એનડીએ સરકાર દ્વારા 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં મોદી ગેરંટીની છાપ જોવા મળી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા મોદીની ગેરંટી તરીકે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરવા માટે આ બજેટમાં વ્યવસ્થા કરવામાં આવશે. જાહેરનામામાં સમાજના વિવિધ વર્ગો માટે જાહેરાતો કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર પોતાના મોટા વચનો પૂરા કરવા માટે ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં લોકોની અપેક્ષા મુજબ વિવિધ જાહેરાતો કરી શકે છે. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મળી શકે છે. ગરીબો માટે 2029 સુધી મફત રાશન, પીએમ આવાસમાં ત્રણ કરોડ ઘર, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, ત્રણ કરોડ લાખપતિ દીદી,સહિતની સુવિધાઓ ઉપરાંત ઇકોફ્રેન્ડલી શહેર વિકાસ, ઇવી ચાર્જિંગ સ્ટેશન, ટ્રક ડ્રાઇવરો માટે હાઇવે પર 1000 રેસ્ટ હાઉસ, આઈઆઈટી, આઈઆઈએમ સહિત નવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપ્ના સહીત બજેટમાં લોકોની અપેક્ષા મુજબ વિવિધ જાહેરાતો થઇ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech