માગસર મહિનામાં આવનારૂ મહાન આદ્રા નક્ષત્ર છે. વિદ્રાનો, પંડીતો અને શ્રધ્ધાળુઓના મતે શિવ ભકિત માટે આજનો દિવસ શ્રે મનાય છે. આ નક્ષત્ર એ છે કે જે કાળમાં ભગવાન લીંગરૂપે પ્રગટ થયા હતા જેથી આ દિવસે દર્શનથી અધિક ફળ મળે છે. સોમનાથમાં એક કાળે ૧૨૦ જેટલા નાના મોટા શિવાલયો દરેક શેરીઓ સાગરતટ નદીતટે આવેલા હતા. જેમાના આજે ય શેરીઓમાં મોટાભાગે દેખાય છે અને પુજાય છે. સોમનાથના પ્રાધ્યાપક મિલન પંડયા કહે છે કે, આ દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લીંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ દિવસે શિવલીંગની સૌ પ્રથમ પુજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી અને એ દિવસથી જ ભગવાન સ્વરૂપના લીંગ સ્વરૂપની પૂજા થાય છે. સદાશિવ સોમનાથ મહાદેવ ભારતના બાર જયોર્તિલીંગ પ્રથમ છે. ભગવાન સોમનાથ સ્વરૂપે આ ભુમીમાં જ સ્થાયી થયા. ચંદ્રનું શિવ તપ સ્કંધપુરાણ, શિવપુરાણ લીંગપુરાણ આ તમામ ધર્મગ્રંથોમાં આ સ્થાનનો મહિમા વર્ણવાયો છે. પ્રભાસના સમુદ્ર તટે સમુદ્રમાં બાણગંગા શિવલીંગ છે જેનું સાગર અવિરત પ્રક્ષાલન કરી રહ્યો છે તો તેની સાંનિધ્યમાં જ શશીભૂષણ મહાદેવ ગામની શેરીઓમાં બિલેશ્ર્વર, ભૂતનાથ, ચદ્રં મૌલેશ્ર્વર, મુળ ભદ્રેશ્ર્વર, ગોપનાથ, સોમનાથ મંદિર પાસે અહલ્યાબાઈ સોમનાથ મંદિર અને તેના પટાંગણમાં શિવાલયો, હાટકેશ્ર્વર મંદિર, કાશી વિશ્ર્વનાથ મંદિર, સિધ્ધેશ્ર્ેવર મંદિર, જમદેશ્ર્વર મંદિર, ત્રિવેણી તીરે મંકેશ્ર્વર, કામનાથ, ભીમનાથ, બ્રહ્મેશ્ર્વર મહાદેવ, વેણેશ્ર્વર, રૂદ્રેશ્ર્વર આ સહિત અનેક શિવાલયો સોમનાથ તીર્થમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech