આદિત્યાણા બાયપાસ વિસ્તારમાંથી આધેડનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

  • March 24, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના આદિત્યાણાના બાયપાસ નજીકથી આધેડનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે તેનો કબ્જો લઇને તપાસનો ધમધમાટ શ‚ કર્યો છે અને પી.એમ.ની કાર્યવાહી બાદ તેના મૃત્યુનું કારણ જાણી શકાશે તેમ પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યુ છે.
બનાવની વિગત એવી છે કે પોરબંદરના આદિત્યાણા બાયપાસ રોડ પર ઝાડીઝાંખરામાંથી શનિવારે મોડી સાંજે પચાસેક વર્ષના આધેડનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેથી બનાવની પોલીસને જાણ થતા તાત્કાલિક તેનો કબ્જો લઇને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. આ મૃતદેહ જેસાભાઇ ઉર્ફે ભાયાભાઇ સાગઠીયાનો હોવાનું પ્રાથમિક તબકકે ખુલ્યુ છે અને પી.એમ.ની કાર્યવાહી બાદ તેમના મૃત્યુનું કારણ જાણવા મળશે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application