જપ્ત કરાયેલ મોબાઈલ કાયદા વિરુદ્ધ હોવાનો વેપારીએ કરેલો દાવો કોર્ટએ નકાર્યો

  • October 16, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં જીએસટી ના અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે વેપારીને ત્યાં તપાસ દરમ્યાન વેપારીનો મોબાઈલ જપ્ત કર્યો હતો જે અંગે વેપારી નરેશભાઈ નાઉમલ આગીચા દવારા સંયુક્ત રાજય વેરા કમિશ્નર, સેલ ટેક્ષ ઓફીસર વિગેરેના ઓની સામે સીવલ કોર્ટમાં તારીખ: ૩૦-૦૫-૨૦૨૩ ના રોજ કાયદા વિરુધ્ધ જડતી કરેલ છે અને તેઓના મોબાઈલ જપ્ત કર્યા તે કાર્યવાહી ગેરકાયદેસરની છે તેવુ ઠરાવી આપવા માટે દાવો દાખલ કરતા તે દાવાના કામે સરકાર પક્ષે એ.જી.પી મીતેષભાઈ મહેતા તથા, જી.એસ.ટી ડીપાર્ટમેન્ટ વતી ડી.જી.પી એમ.આર.જોષી એ વાદીના દાવાને જી.એસ.ટી એકટ ની કલમ ૧૬૨ મુજબ સીવીલ કોર્ટને હુકુમત નહી હોય તેવી લેખીત અરજી તથા દલીલ કરવામાં આવતા કોર્ટ દવારા વાદીનો દાવો રદ કરવામાં આવ્યો હતો.જી.એસ.ટી અધીકારીઓ તરફે ડી.જી.પી મનોજ જોષી અને સરકાર પક્ષ તરફે મીતેષ મહેતા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application