રામનાથપરમાં આગ લાગી તે બિલ્ડિંગમાં ફાયર અનેઓસી, સલામતીના સાધનો ન હતા

  • August 14, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં ટીઆરપી ગેમઝોનની અિકાંડની ઘટના બાદ પણ લોકો ફાયર સેફિટના નિયમો બાબતે બેદરકારી દાખવી રહ્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.શહેરના રામનાથપરા વિસ્તારમાં શેરી નં.૧૪ માં આવેલા ચાર માળના શિવ બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી.ફાયરના સ્ટાફે આગ બુજાવી અહીંથી ચાર બાળકો સહિત ૧૫ નું રેસ્કયુ કયુ હતું.આ બિલ્ડિંગમાં ફાયર એનઓસી કે ફાયર સેફિટના સાધનો ન હોવાનું સામે આવ્યું હતું.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રામનાથ પરા શેરી નંબર ૧૪મા આવેલા શિવ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ લોર ઉપર રાખેલા પીજીવીસીએલના મીટર બોર્ડમાં આગ લાગી હતી.જે અંગેની જાણ થતા ફાયરના સ્ટાફે ત્રણ ફાયર ફાઇટર અને એમ્યુલન્સ સાથે અહીં પહોંચી ગયો હતો.ફાયરના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.બીજી તરફ આગના પગલે અહીં ફલેટમાં રહેતા લોકો અગાશી પર ચડી ગયા હોય ફાયરના સ્ટાફે ચાર બાળકો,છ મહિલા અને ચાર પુષોને સહી સલામત નીચે ઉતાર્યા હતાં.
આગ લાગી હતી તે બિલ્ડિંગ ભાનુપ્રસાદ જગદીશચંદ્રની માલિકીનું છે ચાર માળના બિલ્ડિંગમાં ૯ લેટ આવેલા છે, યાં ગ્રાઉન્ડ લોર ઉપર રાખેલા વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ સમયે પોલીસ પણ પહોંચી ગઈ હતી અને ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું બિલ્ડીંગમાં રહેતા લોકો નીચે ઉતરી શકે તેમ ન હોવાથી અગાસી પર ચડી ગયા હતા.આ બિલ્ડિંગમાં ફાયર એનઓસી અને ફાયર સેફિટના સાધનો ન હોવાનું માલુમ પડયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application